Site icon

‘મંત્રીના નિવેદનને સરકારનું નિવેદન ન કહી શકાય’, અભિવ્યક્તિની સ્વતંત્રતા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

એક અલગ ચુકાદામાં, જસ્ટિસ બી.વી. નાગરત્ને કહ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અધિકાર છે, જેથી નાગરિકોને શાસન વિશે સારી રીતે માહિતગાર અને શિક્ષિત કરી શકાય, તે અપ્રિય ભાષણમાં બદલી શકાય નહીં.

Homosexual is only problem of City Area says Government in Supreme Court

Homosexual is only problem of City Area says Government in Supreme Court

News Continuous Bureau | Mumbai

શું કોઈ મંત્રી, સાંસદ કે ધારાસભ્યના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકાર પર નિયંત્રણો લાદી શકાય? સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. પાંચ જજની બેન્ચે ફ્રી સ્પીચ કેસ પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો/ધારાસભ્યો અને ઉચ્ચ હોદ્દા ધરાવતા વ્યક્તિઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ વધારાના નિયંત્રણોની જરૂર નથી. આ સિવાય મંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને સરકારનું નિવેદન ગણી શકાય નહીં.

Join Our WhatsApp Community

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, એએસ બોપન્ના, બીઆર ગવઈ, વી રામાસુબ્રમણ્યમ અને બીવી નાગરત્નાની બંધારણીય બેંચે કહ્યું કે સરકાર અથવા તેની બાબતોને લગતા કોઈપણ મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનો માટે પરોક્ષ રીતે સરકારને જવાબદાર ગણી શકાય નહીં.

એક અલગ ચુકાદામાં, જસ્ટિસ બી.વી. નાગરત્ને કહ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અધિકાર છે, જેથી નાગરિકોને શાસન વિશે સારી રીતે માહિતગાર અને શિક્ષિત કરી શકાય, તે અપ્રિય ભાષણમાં બદલી શકાય નહીં.

આ સમાચાર પણ વાંચો :  માત્ર શાકભાજી જ નહીં, બથુઆમાંથી પણ બનાવી શકો છો સ્વાદિષ્ટ નાસ્તો, જાણો રીત

શું છે મામલો

આ મામલો ઉત્તર પ્રદેશના તત્કાલિન મંત્રી આઝમ ખાન દ્વારા ગેંગ રેપ પીડિતાઓ વિશે આપવામાં આપેલા એક નિવેદનથી શરુ થયો હતો. બુલંદશહેરની એક બળાત્કાર પીડિતાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર આ મામલો 2016 માં એક મોટી બેંચને મોકલવામાં આવ્યો હતો, જ્યાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્યના મંત્રી અને અગ્રણી રાજકીય વ્યક્તિત્વ (આઝમ ખાને) એ સમગ્ર ઘટનાને “માત્ર રાજકીય કાવતરું અને બીજું કંઈ નહીં” તરીકે ગણાવી દીધી હતી. બાદમાં આઝમ ખાને સામૂહિક બળાત્કારને “રાજકીય કાવતરું” ગણાવવા બદલ માફી માંગી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. પરંતુ કેસના અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને સુનાવણી ચાલુ રાખવામાં આવી હતી.

Maharashtra Rajya Sabha Polls: કોનું નસીબ ચમકશે? રાજ્યસભા માટે ભાજપની નવી યાદી તૈયાર; ફડણવીસના ‘સાગર’ બંગલે બેઠકોનો દોર શરૂ, આ ૪ ચહેરાઓ રેસમાં સૌથી આગળ
Iran Army Helicopter Crash Isfahan: ઈરાન હેલિકોપ્ટર ક્રેશ: યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય હેલિકોપ્ટર ખાબક્યું ૪ લોકોએ જીવ ગુમાવ્યા..
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Exit mobile version