Subrata Roy Sahara Story: એક જમાનામાં સ્કૂટર પર નમકીન વેચતા હતા સુબ્રત રૉય, આવી રીતે ઊભું કર્યું સહારાનું વિશાળ સામ્રાજ્ય… જાણો સપના વેચવામાં માસ્ટરની યાદગાર વાર્તા… વાંચો અહીં..

Subrata Roy Sahara Story: સહારા ગ્રુપના માલિક સુબ્રત રોય હવે આ દુનિયામાં નથી રહ્યા, તેમણે 75 વર્ષની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સુબ્રત રોયનું લાંબી માંદગી બાદ મંગળવારે મોડી રાત્રે 75 વર્ષની વયે અવસાન થયું હતું.

by Bipin Mewada
Subrata Roy Sahara Story Once upon a time Subrata Roy used to sell namkeen on a scooter

News Continuous Bureau | Mumbai

Subrata Roy Sahara Story: સહારા ગ્રુપ ( Sahara India ) ના વડા સુબ્રત રોય નું મંગળવારે (14 નવેમ્બર) મોડી રાત્રે અવસાન થયું છે. તેમણે મુંબઈ (  Mumbai ) ની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમના પાર્થિવ દેહને લખનઉ ( Lucknow ) ના સહારા શહેર ( Sahara City ) માં લાવવામાં આવશે, જ્યાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 1948માં બિહારના અરરિયા જિલ્લામાં જન્મેલા સહારા ગ્રુપના ( Sahara Group ) સ્થાપક સુબ્રત રોયનો યુપીના ગોરખપુર સાથે ગાઢ સંબંધ છે. તેમણે અહીંથી પોતાનો અભ્યાસ અને બિઝનેસ ( Business )  બંનેની શરૂઆત કરી હતી. પછી માત્ર 2000 રૂપિયાથી શરૂ થયેલી ફાયનાન્સ કંપનીનો બિઝનેસ થોડા જ સમયમાં 2 લાખ કરોડ રૂપિયા સુધી સફર તેમણે ખેડી હતી. એક સમય હતો જ્યારે સુબ્રત રોય ગોરખપુરના બેટીહાટામાં વકીલના મકાનમાં ભાડે રહેતા હતા. તેમના બાળકોનો જન્મ પણ ત્યાં જ થયો હતો.

‘સહારા શ્રી’ સુબ્રત રોયે એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી જે અન્ય ક્ષેત્રોની વચ્ચે ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, મીડિયા અને હોસ્પિટાલિટીનું ક્ષેત્ર હતું. 1978માં તેમણે ‘સહારા ઈન્ડિયા પરિવાર’ ગ્રુપની સ્થાપના કરી. રોયને ગોરખપુર પ્રત્યે ખૂબ લગાવ હતો. આ કારણોસર, મીડિયા ક્ષેત્ર હોય કે રિયલ એસ્ટેટ, તેમની કંપનીએ ગોરખપુરમાં મોટું રોકાણ કર્યું. 2000 માં, રોયના આમંત્રણ પર, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સ ગોરખપુર પહોંચ્યા હતા.

1978માં તેમના મિત્ર એસકે નાથ સાથે ગોરખપુરમાં એક ફાઇનાન્સ કંપની શરૂ કરી..

સુબ્રત રોયે સહારા ગ્રૂપની સ્થાપના કરવાની વાર્તા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સુબ્રત રોય એક સમયે સ્કૂટર પર નાસ્તો વેચતા હતા. શેરીમાં સામાન વેચવાથી શરૂ થયેલી તેમની સફર સહારા ગ્રુપમાં પરિવર્તિત થઈ.

સહારા ગ્રુપના વડા સુબ્રત રોયે એક મિત્ર સાથે મળીને વર્ષ 1978માં સ્કૂટર પર નમકીન વેચવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોને ખબર હતી કે એક દિવસ આ જ વ્યક્તિ સહારાનું નામ 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું સામ્રાજ્ય બનાવી દેશે. લોકોને દરરોજ 10-20 રૂપિયા જમા કરાવીને, સુબ્રત રોયે ભારતના ફાઇનાન્સ સેક્ટર માટે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું. લોકોને તેમની નાની બચત પર સારું વળતર મળ્યું. લોકો પાસેથી મળેલા પૈસાથી બીજા ધંધા શરૂ કર્યા.

આ સમાચાર પણ વાંચોઃ Sahara Refund Portal: શોકાતુર: સહારા ગ્રુપના વડા સુબ્રત રોયનું નિધન, મુંબઇમાં લીધા અંતિમ શ્વાસ.. જાણો વિગતે..

આ ફાઇનાન્સ કંપની દ્વારા સુબ્રત રોય નાના દુકાનદારો પાસેથી બચતની વ્યવસ્થા કરતા હતા. થોડા સમય પછી જ્યારે મૂડી થોડી વધી તો તેણે કપડાં અને પંખાનું નાનું કારખાનું પણ શરૂ કર્યું. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દરમિયાન તે પોતાના સ્કૂટરમાંથી પંખા અને અન્ય વસ્તુઓ વેચતો હતો. તેઓ પોતે એક દુકાનેથી બીજા દુકાને જતા અને પંખા પહોંચાડતા અને દુકાનદારોને નાની બચત વિશે જાગૃત કરતા.

ધીમે ધીમે તેના શબ્દોની અસર થવા લાગી. લોકો તેની સાથે જોડાઈ રહ્યા હતા. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગના લોકો. સુબ્રત રોયની યોજના બેંકિંગ જરૂરિયાતો અને રોજગારની તકો વચ્ચે સફળ સાબિત થવા લાગી. જો કે, આ દરમિયાન, 1983-84માં, રોયના બિઝનેસ ફ્રેન્ડ એસકે નાથે અલગ થઈને બીજી કંપની બનાવી. જે પછી રોયે પોતાની કંપનીનું હેડક્વાર્ટર લખનૌમાં ખોલ્યું અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

સહારા દેશની બીજી સૌથી મોટી રોજગારદાતા કંપની બની..

નમકીન વેચ્યા પછી, સુબ્રત રોયે 1978 માં એક મિત્ર સાથે ચિટ ફંડ કંપની શરૂ કરી. આ કંપની પાછળથી સહારાનો અનોખો સહકારી ફાઇનાન્સ બિઝનેસ બની ગયો. એક રૂમમાં બે ખુરશીઓ અને ટેબલ સાથે શરૂ થયેલી આ કંપની થોડા જ સમયમાં આખા દેશમાં લોકપ્રિય બની ગઈ. તેણે શહેરથી શહેર અને ગામડે ગામડે તેની પહોંચ વિસ્તારી. મધ્યમ વર્ગથી લઈને નીચલા વર્ગ સુધીના લોકોએ સહારામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને પૈસા રોક્યા હતા. તેની ‘નો મીનીમમ ડીપોઝીટ’ને કારણે ગરીબમાંથી ગરીબ વ્યક્તિએ પણ સહારામાં ખાતું ખોલાવવાનું શરૂ કર્યું. નોંધનીય છે કે ગોરખપુરથી શરૂઆત કરનાર સુબ્રત રોયે ઘણી ઊંચાઈઓ હાંસલ કરી હતી. રોયે 1970 ના દાયકાના અંતમાં ચિટ ફંડ બિઝનેસ શરૂ કર્યો અને ઝડપથી એક સામ્રાજ્ય બનાવ્યું જેમાં એરલાઇન્સ, ટેલિવિઝન ચેનલો અને રિયલ એસ્ટેટનો સમાવેશ થતો હતો.

રોયના સહારા ઈન્ડિયા પરિવારને ‘ટાઈમ મેગેઝિન’ દ્વારા રેલ્વે પછી ભારતમાં બીજા સૌથી મોટા રોજગારદાતા તરીકે ઓળખવામાં આવી હતી, જેમાં લગભગ 12 લાખ કર્મચારીઓ કામ કરતા હતા.

આ સમાચાર પણ વાંચોઃ Salman khan: સલમાન ખાને તેના નાના ફેન્સ ને આપી સરપ્રાઈઝ,ટાઇગર 3 ના સ્ક્રીનિંગ માં બાળકો સાથે કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ

રિયલ એસ્ટેટની વાત કરીએ તો, તેમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એમ્બી વેલી સિટી પણ હતો, જે મહારાષ્ટ્રમાં લોનાવલા પાસે છે. આ સિવાય રોયે વર્ષ 1993માં એર સહારાની શરૂઆત કરી હતી, જે બાદમાં તેણે જેટ એરવેઝને વેચી દીધી હતી. સહારા ગ્રુપ 2001 થી 2013 સુધી ટીમ ઈન્ડિયાનું સ્પોન્સર પણ હતું. તે જ સમયે, સહારાની ટીમ ‘પુણે વોરિયર્સ’ 2011માં IPLમાં પ્રવેશી હતી.

સુબ્રત રોયના બે પુત્રોના લગ્ન, જે 2004 માં થયા હતા, એક અઠવાડિયા કરતા વધુ સમય સુધી ઉજવવામાં આવ્યા હતા. આ લગ્નને સદીના સૌથી ચર્ચિત ભારતીય લગ્ન તરીકે વર્ણવવામાં આવ્યા હતા. લગ્ન સમારોહમાં લગભગ 10 હજાર લોકો જોડાયા હતા. જેમાં વ્યાપારી હસ્તીઓ, બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટ અને ફેશન જગતના દિગ્ગજ કલાકારોએ ભાગ લીધો હતો. આ મહેમાનોને ખાસ વિમાન દ્વારા લખનઉ લઈ જવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

You may also like