જોશીમઠમાં ભૂસ્ખલન મામલે મોદી સરકારે લોકસભામાં આપ્યો જવાબ, જાણો શું કહ્યું

જોશીમઠમાં ભૂસ્ખલન અંગે ભારત સરકારે લોકસભામાં પોતાનો જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે જોશીમઠમાં ભૂસ્ખલન પહેલા તપોવનમાં હિમસ્ખલન અને પૂરની ઘટનાઓ બની હતી

by Dr. Mayur Parikh
Subsidence-Hit Area In Joshimath 15 Km Away From NTPC Project: Government

News Continuous Bureau | Mumbai

જોશીમઠમાં ભૂસ્ખલન અંગે ભારત સરકારે લોકસભામાં પોતાનો જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે જોશીમઠમાં ભૂસ્ખલન પહેલા તપોવનમાં હિમસ્ખલન અને પૂરની ઘટનાઓ બની હતી. જેના કારણે પાવર પ્રોજેક્ટનું કામ અટકાવવું પડ્યું હતું. મોદી સરકારે કહ્યું કે જોશીમઠ અને તેની આસપાસ કોઈ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ નથી. લોકસભામાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના એક પ્રશ્નના લેખિત જવાબમાં પાવર અને નવીનીકરણીય ઉર્જા મંત્રી આરકે સિંહે આ માહિતી આપી હતી.

જોશીમઠ ભૂસ્ખલનથી તપોવન પાવર પ્રોજેક્ટ પર કોઈ અસર નહીં

મોદી સરકારના મંત્રી આરકે સિંહે જણાવ્યું હતું કે, “તપોવન વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ જોશીમઠ વિસ્તારમાં જમીન ધસી જવાની ઘટનાથી પ્રભાવિત નથી. તેમ છતાં, જિલ્લા વહીવટીતંત્રે 5 જાન્યુઆરી, 2023 ના રોજ આદેશ જારી કર્યો છે કે આગામી આદેશો સુધી પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવશે.” તેમણે કહ્યું કે તપોવન પાવર પ્રોજેક્ટ જોશીમઠથી ઘણો દૂર છે અને જોશીમઠમાં જમીન ધસી જવાથી તપોવન પાવર પ્રોજેક્ટને કોઈ અસર થઈ નથી. તેમ છતાં, સાવચેતીના પગલા તરીકે, જિલ્લા વહીવટીતંત્રે જોશીમઠમાં કોઈપણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સ્વીકાર્યું કે ઉત્તરાખંડના બે પાવર પ્રોજેક્ટ ફાટા અને તપોવનમાં પૂર અને ભૂસ્ખલનને કારણે કામ અટકાવવું પડ્યું હતું.

હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અંગે આપ્યો આ જવાબ

મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં દેશના વિવિધ રાજ્યોના હિમાલય પ્રદેશમાં 11,137.50 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 30 મેગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે જે 25 મેગાવોટથી વધુ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ્સમાંથી, કુલ 10,381.50 મેગાવોટના 23 હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સક્રિય રીતે નિર્માણાધીન છે અને કુલ 756 મેગાવોટના 7 હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અટકેલા છે. તેમણે કહ્યું કે આ સાથે દેશના વિવિધ રાજ્યોના હિમાલય વિસ્તારમાં 22,982 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 87 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ કાર્યરત છે. સિંહે જણાવ્યું હતું કે પર્યાવરણીય મંજૂરી મેળવ્યા પહેલા 25 મેગાવોટથી વધુનો કોઈ પણ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ થતો નથી.

આ સમાચાર પણ વાંચો: ઘરે બેસીને લઇ શકો છો LICની 11 સર્વિસનો બેનિફિટ, બસ કરી લો માત્ર રજિસ્ટ્રેશન

પ્રોજેક્ટ બાંધકામ પહેલાં લેવામાં આવી તમામ સંમતિ

આર.કે. સિંહે કહ્યું કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વિશેષ મૂલ્યાંકન સમિતિ દ્વારા વ્યાપક ચકાસણી પછી જ મંજૂરી આપવામાં આવે છે. ઉર્જા મંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ વોટર કમિશન (CWC) દ્વારા સુરક્ષાના દૃષ્ટિકોણથી પ્રોજેક્ટ પ્રસ્તાવનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, વૈધાનિક સંમતિ આપતા પહેલા, જિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા અને સેન્ટ્રલ સોઇલ એન્ડ મટિરિયલ્સ રિસર્ચ સ્ટેશન સહિત અન્ય મૂલ્યાંકન એજન્સીઓ સાથે પ્રોજેક્ટ પ્રસ્તાવની તપાસ કરે છે. તેમણે કહ્યું કે આ સુનિશ્ચિત કરે છે કે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થાય તે પહેલા તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More