Site icon

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી બિલ્ડરો ફફડાટમાં પણ ગ્રાહકો નિશ્ચિત. જાણો કેમ? ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 નવેમ્બર  2021 
બુધવાર. 

સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી પોતાની જમાપુંજી ભેગી કરીને ઘર ખરીદનારાઓને રાહત થઈ છે. સરકારે રેરા કાયદાથી ધર ખરીદી કરનારાઓને સંરક્ષણ આપ્યું છે. રેરાએ આપેલા નિર્ણયને કોર્ટમા પડકારી બિલ્ડરો તેને અમલમાં મુકવાનું ટાળતા હતા. હવે જોકે સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બિલ્ડરોએ ઝૂકવું પડ્યું છે.

Join Our WhatsApp Community

રેરા ઓથોરિટીએ આપેલા આદેશને પડકારતા અગાઉ બિલ્ડરને ફ્લેટ ખરીદનારને પહેલા નુકસાનની ભરપાઈ સંપૂર્ણ વ્યાજની રકમ સહિત અથવા દંડની લગભગ 30 ટકા રકમ જમા કરાવવી પડશે. રિયલ એસ્ટેટના કાયદામાં આ જોગવાઈને સુપ્રીમ કોર્ટે હાથમાં લીધી છે.

ઐતિહાસિક નિર્ણય! દેશને મળી શકે છે પ્રથમ સમલૈંગિક જજ, સુપ્રીમ કોર્ટે આ જજ માટે કરી ભલામણ

સુપ્રીમ કોર્ટે એક કેસના સંદર્ભને લઈને આ ચુકાદો આપ્યો છે, જેમાં ઓથોરિટીને દંડની રકમ 30 ટકાથી વધારવાની સત્તા પણ આપી છે. રેરાએ આપેલા આદેશ અમલમાં મૂકવાને બદલે બિલ્ડર અદાલતમાં તેને પડકારીને ગ્રાહકોને નુકસાની ભરપાઈ આપવાનું ટાળતા હતા. જોકે હવે કોર્ટેના ચુકાદાને પગલે બિલ્ડરોની સાન ઠેકાણે આવી ગઈ છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version