કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર, સુપ્રીમ કોર્ટે સરકારની આ મહત્વકાંક્ષી યોજનાને આપી લીલી ઝંડી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

મંગળવાર.

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ચાર ધામ પરિયોજના પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે  ઈનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે ઓલ વેધર હાઈવે પ્રોજેક્ટના ભાગરૂપે રસ્તાની પહોળાઈ વધારવા માટે તેમજ ડબલ લેન હાઈવે બનાવવા માટે કેન્દ્ર સરકારને લીલી ઝંડી આપી દીધી છે. 

દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ યોજનાને મંજૂરી આપી છે 

સાથે જ પૂર્વ જજની અધ્યક્ષતામાં યોજના પર નજર રાખવા માટે એક નિરીક્ષણ કમિટી બનાવીને તંત્રને આ કમિટીને સહયોગ આપવા માટે આદેશ પણ આપ્યો છે.

આ નિર્ણયથી હવે ભારતની ચીન સાથે અડતી સરહદ સુધી પહોંચવું આસાન થઈ જશે અને કોઈ પણ હવામાનમાં ભારતીય સેના હથિયારો સાથે આ બોર્ડર સુધી પહોંચી શકશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આ યોજના થકી ચાર ધામ યમનોક્ષી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથને દરેક પ્રકારના હવામાનમાં કનેક્ટિવિટી આપવા માંગે છે. 

ગજબ કહેવાય! મહારાષ્ટ્રના આ શહેરમાં કોરોનાથી મૃત્યુ 1600 પણ મદદ માટે બમણી સંખ્યામાં આવી અરજી; જાણો વિગત
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More