રાજ્ય સરકારો પ્રવાસી મજૂરો પાસેથી બસ ટ્રેન નું ગાડીભાડુ લઈ શકાશે નહીં: સુપ્રીમ કોર્ટ

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

28 મે 2020 

આજે સુપ્રીમ કોર્ટે મજૂરોને રાહત થાય એવા મોટા વિષય પર પોતાનો ફેસલો આપ્યો છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વતન જવા માંગતા મજૂરોની સુનાવણી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે "મજૂરો પાસેથી ટ્રેન કે બસ નું ભાડું લેવામાં ન આવે કારણ કે રાજ્ય સરકારોએ આ ભાડું ઉઠાવવું પડશે", વધુ સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે "જે શ્રમિક જે રાજ્યમાં ફસી ગયો છે એ રાજ્યની ભોજન આપવાની ફરજ છે અને ક્યારે કઈ જગ્યાએ એ ભોજન મળશે એની જાણકારી પણ રાજ્ય સરકારે પલાયન ન કરતા લોકો સુધી પહોંચાડવાની રહેશે".

 વાસ્તવમાં 26 મેના દિવસે કોર્ટે પગપાળા જતા અને અનેક તકલીફો વેઠતા કામદારોના ફૂટેજ જોયા બાદ સ્વયં સંજ્ઞાન લઇ કેન્દ્ર સરકારને આ મુદ્દે પોતાનો પક્ષ મુકવા માટે આજની તારીખે આવવાનું કહ્યું હતું..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More