News Continuous Bureau | Mumbai
Supreme Court Ruling on Marital Cruelty સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે લગ્નજીવનમાં નાનામોટા મતભેદો અથવા થોડા સમય માટે વાતચીત બંધ રહેવી એ કોઈ પણ સંજોગોમાં આપરાધિક ક્રૂરતા (Criminal Cruelty) ગણી શકાય નહીં. કોર્ટે આત્મહત્યાના એક કેસમાં પતિને નિર્દોષ જાહેર કરતા આ ટિપ્પણી કરી છે.
Supreme Court Ruling on Marital Cruelty – શું છે સમગ્ર કેસની વિગત?
આ કેસ જયેશ કન્નન અને તેમની પત્ની સંગીતા સાથે સંબંધિત છે, જેમના લગ્ન 2 નવેમ્બર 2014 ના રોજ થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ જયેશ નોકરી માટે ઓમાન ગયા હતા અને સંગીતા પિયર ગઈ હતી. 31 જાન્યુઆરી 2015 ના રોજ સંગીતાએ આત્મહત્યા (Suicide) કરી હતી. પિયર પક્ષનો આરોપ હતો કે પતિએ 13 દિવસ સુધી સંગીતા સાથે વાત ન કરતા તે માનસિક રીતે પરેશાન હતી. ટ્રાયલ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટે પતિને કલમ 498A હેઠળ દોષિત ગણીને સજા ફટકારી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
Supreme Court Ruling on Marital Cruelty – સુપ્રીમ કોર્ટનું નિરીક્ષણ અને પતિની દલીલ.
જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે નોંધ્યું કે પિયર પક્ષ પતિ વિરુદ્ધ કોઈ પણ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર વોટ્સએપ મેસેજ ન આવવાથી એવું સાબિત નથી થતું કે વાતચીત બંધ હતી, કારણ કે ફોન કોલ દ્વારા પણ સંપર્ક થઈ શકે છે. પતિએ રજૂ કરેલી દલીલ કે પત્નીનો ફોન બગડેલો હોવાથી તે અન્ય માધ્યમોથી સંપર્કમાં હતો, તેને ખોટી સાબિત કરવા માટે પ્રોસિક્યુશન પાસે કોઈ કોલ રેકોર્ડ (Call Record) નહોતો.
Supreme Court Ruling on Marital Cruelty – કાયદાકીય અર્થઘટન: ક્રૂરતા શું છે?
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આઈપીસી (IPC) ની કલમ 498A હેઠળ ક્રૂરતા સાબિત કરવા માટે સતત, વારંવાર અથવા ગંભીર સ્વરૂપનું વર્તન હોવું જરૂરી છે. કોર્ટે અગાઉના ચુકાદાઓનો સંદર્ભ આપી કહ્યું કે, સામાન્ય વૈવાહિક મતભેદો, નાની તકરાર કે થોડા દિવસોની ‘સાયલન્ટ ટ્રીટમેન્ટ’ (Silence) ને ક્રૂરતાની શ્રેણીમાં મૂકી શકાય નહીં. આ ચુકાદો કાયદાના દુરુપયોગને રોકવા અને વૈવાહિક સંબંધોની જટિલતાને સમજવા માટે અત્યંત મહત્વનો સાબિત થશે.
👉 આ સમાચાર વાચો:
MT Liaki Freedom Incident ફેક્ટ ચેક શું ઓમાનની ખાડીમાં જહાજ પર હુમલામાં 4 ભારતીયોના મોત થયા છે? જાણો સચ્ચાઈ.