Rahul Gandhi: રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, દેશમાં માત્ર પાંચ ટકા લોકોને જ ન્યાય મળે છે, બાકીના લોકો સાથે થઈ રહ્યો છે અન્યાય.

Rahul Gandhi: રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું હતું કે, જો ભારત પ્રેમનો દેશ છે તો નફરત કેમ ફેલાવવામાં આવી રહી છે? અમે કહીએ છીએ કે ભાજપ નફરત ફેલાવે છે પણ આ નફરતનો આધાર હોવો જોઈએ… તો આ નફરતનો આધાર અન્યાય છે.

by Hiral Meria
Targeting the BJP, Rahul Gandhi said, only five percent of the people in the country are getting justice, injustice is being done to the rest of the people.

News Continuous Bureau | Mumbai

Rahul Gandhi: મુંબઈમાં INDIA ગઠબંધનની રેલી પહેલા કોંગ્રેસ ( Congress ) નેતા રાહુલ ગાંધીએ રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં પાંચ ટકા લોકો એવા છે, જેમને ન્યાય મળે છે. કોર્ટ, સરકાર અને અન્ય તમામ સંસ્થાઓ તેમના માટે કામ કરે છે. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે બાકીના 90 ટકા લોકોને તો તેમનો ન્યાય મળતો જ નથી.

રાહુલ ગાંધીએ વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે, જો ભારત પ્રેમનો દેશ છે તો નફરત કેમ ફેલાવવામાં આવી રહી છે? અમે કહીએ છીએ કે ભાજપ ( BJP ) નફરત ફેલાવે છે પણ આ નફરતનો આધાર હોવો જોઈએ… તો આ નફરતનો આધાર અન્યાય છે. આ દેશમાં ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાનો સાથે દરરોજ અન્યાય થઈ રહ્યો છે. દેશના કેટલાક અબજોપતિઓની લાખો-કરોડોની લોન માફ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોનો એક પણ રૂપિયો માફ થતો નથી.

 જ્યારે અમારી સરકારે ખેડૂતોની લોન ( Farmers Loan ) માફીની વાત કરી તો ભાજપે કહ્યું- ખેડૂતો આળસુ થઈ જશે: રાહુલ ગાંધી…

રાહુલ ગાંધીએ નિવેદન આપતા આગળ કહ્યું હતું કે, જ્યારે અમારી સરકારે ખેડૂતોની લોન માફીની વાત કરી તો ભાજપે કહ્યું- ખેડૂતો આળસુ થઈ જશે. મનરેગા લાવવામાં આવી ત્યારે કહેવાયું હતું કે કામદારોની આદતો બગડશે. પરંતુ જ્યારે તેઓ અમુક ઉદ્યોગપતિઓની લાખો કરોડોની લોન માફ કરે છે ત્યારે શું તેમની આદતો બગડતી નથી? આજે એક તરફ દેશની તમામ સંપત્તિ કેટલાક લોકો પાસે છે. તો બીજી તરફ યુવાનો, ખેડૂતો અને મજૂરોને અન્યાય થઈ રહ્યો છે. તેઓ સતત ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે. તો આ ન્યાય છે કે અન્યાય..

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: લોકસભા અને રાજ્યસભામાં શું તફાવત છે, જાણો અહીં આ 10 મુદ્દાઓ દ્વારા વિગતવાર… .

કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગુજરાતના નાના વેપારીઓએ મને કહ્યું કે તેઓને GST અને નોટબંધીથી ઘણું નુકસાન થયું છે. આ નાના વ્યાપારીઓને ( businessmen ) તેમની સાથે થઈ રહેલા અન્યાયથી વાકેફ હતા, પરંતુ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયથી વાકેફ ન હતા. જ્યાં સુધી તમે તમારી સાથે અને તમારા ભાઈઓ સાથે થઈ રહેલા અન્યાયને સમજશો નહીં. ત્યાં સુધી કોઈ આંદોલન શરૂ થઈ શકશે નહીં.

દરમિયાન શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે ( Sanjay Raut ) નિવેદન આપતા કહ્યું હતું કે, જો કોંગ્રેસ ન હોત તો દેશને આઝાદી ન મળી હોત, જો કોંગ્રેસ ન હોત તો દેશને નેતૃત્વ ન મળ્યું હોત… જો કોંગ્રેસ ન હોત તો આ દેશ એક ન થયો હોત, આવી ઘણી બધી વાતો છે પણ ભાજપને આ વાતો નહીં સમજાય. તમે નહીં સમજો… તેઓ (ભાજપ) વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ વિશે જ વિચારે છે… જો ભાજપ ન હોત તો ઘણી બાબતો થઈ હોત, જેનાથી દંગા ન થયા હોત. આ દેશમાં રમખાણો ન થયા હોત, આ દેશનો રૂપિયો મજબૂત હોત, દેશ પરનું દેવું ઓછું થાત…

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More