Site icon News Continuous Bureau | Mumbai

370 કલમ હટયાની અવળી અસર.. જમ્મુ કાશ્મીરમાં ઘર-મકાન ખરીદનારને મળ્યું મોત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

01જાન્યુઆરી 2021

શ્રીનગરમાં છેલ્લા 40 વર્ષથી રહેતા પંજાબના 70 વર્ષીય ઝવેરીને મોટરસાયકલ પર આવેલાં આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. કહેવાય છે કે, શહેરના રહેવાસી તરીકેનું ડોમિસાઈલ સેર્ટિફિકેટે મેળવ્યા બાદ તેણે શ્રીનગરમાં મધ્યમાં એક દુકાન અને મકાન ખરીદ્યું હતું. આનાથી નારાજ આતંકીઓ દ્વારા મહિનાની અંદર જ તેની હત્યા કરવામાં આવી. ગુરુવારે શહેરમાં ખળભળાટ મચાવતા હત્યાકાંડનો ભોગ બનેલાં ઝવેરીનું નામ સતપાલ નિશ્ચલ હતું.

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ ટીઆરએફએ નિશ્ચલના મોતની જવાબદારી લીધી છે. પાકિસ્તાની તરફી આતંકીઓનું કહેવું છે કે અમે નવા ડોમિસાઇલ કાયદા સાથે સહમત નથી. જો સ્થાનિક કાશ્મીરીઓ સિવાય અન્ય કોઈ રાજ્યમાં સંપત્તિ ખરીદે તો તેઓ ઘુસણખોર ગણાશે. ટીઆરએફએ અન્ય માલ મિલકત ખરીદનારાઓ ના પણ આવા જ હાલ કરવાની ચીમકી આપી છે. ટીઆરએફએ ફેસબુક પર પોસ્ટ કરીને આ ધમકી આપી છે.

નિશ્ચલના સંબંધીઓએ જણાવ્યું હતું કે વાજબી ભાવો અને ગુણવત્તાવાળા દાગીનાને કારણે તેની શ્રીનગરમાં દુકાન લોકપ્રિય છે. નિશ્ચલના પોતાની પાછળ બે પુત્રો અને એક પુત્રી છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ કાયર હુમલોનો તમામ સ્તરે વિરોધ થઈ રહ્યો છે.

Jantar Mantar Protest પેલેટ ગનથી લઈને ટિયર ગેસ સુધી… જંતરમંતર પર બળપ્રયોગ મુદ્દે હાઈલેવલ કમિટી ગઠિત, દિલ્હી પોલીસ રડારમાં
Champat Rai Statement Against Nripendra Misra અયોધ્યા રામ મંદિરમાં મોટો આંતરિક ભડકો ચંપત રાયે નૃપેન્દ્ર મિશ્રા સામે મોરચો ખોલ્યો, ૯ પાનાનો પત્ર લખ્યો
USCIRF Ban RSS Leaders RSS નેતાઓનું સન્માન નહીં, પ્રતિબંધ લગાવો અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા પંચની ભલામણથી ભારે હોબાળો
Bulldozer Action Pakistan High Commission Delhi ઈંટનો જવાબ પથ્થરથી ઈસ્લામાબાદમાં કાર્યવાહીના ૩ જ દિવસમાં દિલ્હી પાક. હાઈકમિશન પર બુલડોઝર એક્શન
Exit mobile version