Site icon

ભારતમાં એવું તે શું થયું કે કોરોના ગાયબ થવા માંડ્યો. ભલભલા વૈજ્ઞાનિકોને ચકરાવે ચડાવતો સવાલ. જાણો વિસ્તારથી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

08 ફ્રેબ્રુઆરી 2021 

ગત સપ્ટેમ્બર મહિનામાં ભારત દેશમાં દૈનિક 100000 કોરોના ના કેસ નોંધાઈ રહ્યા હતા. હવે આજે પરિસ્થિતિ એવી છે કે દૈનિક માત્ર દસ હજાર કેસ સામે આવી રહ્યા છે.

તો આખરે ભારત દેશમાં એવું શું થયું કે કોરોના હારી ગયો? એક તરફ અમેરિકા, બ્રિટન તેમજ વિશ્વના અન્ય દેશો કોરોના સામે હાંફી ગયા. જ્યારે કે ભારત સામે કોરોના હાંફી ગયો? 

ભારતમાં ગત ૨૪ કલાકમાં માત્ર 84 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ચોંકાવનારી વિગત એવી છે કે ભારત દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી 70 ટકા કેસ માત્ર બે રાજ્યમાં છે. આ રાજ્યના નામ છે મહારાષ્ટ્ર અને કેરળ. આ સિવાય ભારત દેશની અંદર 17 એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે જેમાં ગત ૨૪ કલાકમાં એકેય મૃત્યુ થયા નથી.

એક તરફ ભારત દેશમાં અત્યારે વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. બે દિવસ ગરમી હોય છે તો વચ્ચે ક્યારેક વરસાદના ઝાપટાં પણ પડે છે અને સવારે તેમજ સાંજના સમયે ખૂબ ઠંડી હોય છે.

આ પરિસ્થિતિમાં પણ કોરોના લોકોને પજવી શકતો નથી.

તો શું ભારતીયોની ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે?

શું કોરોના ભારતમાં નબળો પડી ગયો છે?

ભારતમાં કોરોના ની રસી લોકોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં કોરોના ઝડપી રીતે ફેલાય નહીં શકે.

જોકે વૈજ્ઞાનિકો હજી વિચારમાં પડી ગયા છે કે ભારતમાં પરિસ્થિતિ શા કારણથી સુધરી રહી છે.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version