Mahua Moitra: એથિક્સ કમિટીની બેઠકમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા સામે પ્રસ્તાવ પાસ, રિપોર્ટના પક્ષમાં 6 અને વિરુદ્ધમાં 4 સાંસદે આપ્યો વોટ.

Mahua Moitra: TMC સાંસદ મહુઆ મોઇત્રા પર રૂપિયા લઈને સંસદમાં સરકારને સવાલ પૂછવાના આરોપ મામલે સંસદની એથિક્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ મીટિંગ વિશે માહિતી આપતા એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, "એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રા પરના આરોપો અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ આજની બેઠકમાં તૈયાર કરવામાં આવ્યો છે.

by Hiral Meria
The ethics committee meeting passed the motion against TMC MP Mahua Moitra, 6 MPs voted in favor of the report and 4 against.

News Continuous Bureau | Mumbai 

Mahua Moitra: TMC સાંસદ ( TMC MP ) મહુઆ મોઇત્રા પર રૂપિયા લઈને સંસદમાં ( Parliament ) સરકારને સવાલ પૂછવાના આરોપ મામલે સંસદની એથિક્સ કમિટીની ( Ethics Committee ) બેઠક યોજાઈ હતી. આ મીટિંગ વિશે માહિતી આપતા એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, “એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રા પરના આરોપો અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ આજની બેઠકમાં તૈયાર કરવામાં આવ્યો છે. છ સભ્યોએ તેને ટેકો આપ્યો હતો. જ્યારે ચાર સભ્યોએ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી.”

વિગતવાર અહેવાલ લોકસભામાં ( Lok Sabha ) રજૂ કરાશે

વિનોદ સોનકરે વધુમાં કહ્યું કે, “આવતીકાલે લોકસભા સ્પીકરને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, મહુઆ મોઇત્રા વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવામાં આવશે, તે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કરશે.

શું હતો આરોપ?

જણાવી દઈએ કે, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર રૂપિયા લઈને અને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર લોકસભામાં અદાણી ગ્રુપને નિશાન બનાવતા પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મહુઆએ હિરાનંદાનીને લોકસભાના મેઈલ આઈડીનું લોગ-ઈન આપ્યું હતું અને તે તેના દ્વારા વિવિધ જગ્યાએથી પ્રશ્નો પૂછતો હતો. બીજી બાજુ, મહુઆએ પણ સ્વીકાર્યું છે કે હિરાનંદાનીએ તેના લોગિનનો ઉપયોગ કર્યો છે, પરંતુ ટીએમસી સાંસદનું કહેવું છે કે તેણે લાંચ લેવા અથવા કોઈ ભેટ લેવા માટે આવું કર્યું નથી.

આ સમાચાર પણ વાંચોઃ Mega Conclave: મેઘાલયના શિલોંગમાં ઉદ્યોગસાહસિકો માટે રાષ્ટ્રીય એસસી-એસટી હબ મેગા કોન્ક્લેવનું આયોજન થયું.

દાનિશ અલીએ સમિતિના સભ્યો સામે નારાજગી વ્યક્ત કરી હતી

તમને જણાવી દઈએ કે આ બેઠક પહેલા કમિટીના સભ્ય અને સાંસદ દાનિશ અલીએ કમિટીના સભ્યો, ખાસ કરીને કમિટીમાં સામેલ બીજેપી સાંસદ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “મેં હજુ સુધી રિપોર્ટ જોયો નથી. આ દેશમાં બે કાયદા હોઈ શકે નહીં. એથિક્સ કમિટીના અધ્યક્ષ દ્વારા નિયમ 275નું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, એક વાત અમે કહી શકીએ કે અમે અન્યાય સામે અમારો અવાજ ઉઠાવ્યો છે અને અમે આવું કરતા રહીશું. ગભરાઈશું નહીં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More