Site icon

સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારી; જાણો શું છે નવા દિશાનિર્દેશ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
દેશમાં રસીકરણ પૂરજોશમાં ચાલુ હોવાથી ઘણી જગ્યાએ વેકસીનની અછત સર્જાય રહી છે. તેવામાં આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિનએપમાં સીરમ ઇન્સ્ટીટયુટ વેક્સીનની કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા સંબંધી બદલાવ કર્યા છે.
હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ ૪૨ દિવસ એટલે કે ૬ અઠવાડિયા પછી જ આપવામાં આવશે. પહેલાં આ મુદત ૨૮ દિવસ એટલે કે ૪ અઠવાડિયાની હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ અંગેની માહિતી તમામ કલેકટર, મહાનગર પાલિકાઅ ને રાજ્યના ચીફ ડિસ્ટ્રિકટ મેડીકલ અને પબ્લિક હેલ્થ ઓફિસરને આપી છે. હવે ૪૨ દિવસ પહેલા કોવિશિલ્ડના બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરી શકાશે નહિ.

બ્રેકિંગ ન્યુઝ : મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નીમેલી તજજ્ઞોની સમિતિ કોવિશિલ્ડના બીજા ડોઝની મુદત બાબતે સંશોધન કરી રહી હતી. સમિતિનું તારણ હતું કે ૬ અઠવાડિયા બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેની અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયા બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% થઈ જાય છે.

Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Manmohan Singh: ભાજપ દ્વારા આતંકવાદી યાસીન મલિકના દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા ને જાહેર કરાતા રાજકીય વર્તુળોમાં મચ્યો હડકંપ
Chabahar Port: ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો; ટેરિફ બાદ હવે આ પ્રોજેક્ટ પરની છૂટ પણ રદ કરવામાં આવી
Rahul Gandhi: લોકતંત્ર પર સવાલ તો એજન્ટો શું કરી રહ્યા છે? રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો પર પાર્ટીની અંદર જ મતભેદ
Exit mobile version