New Governors: આ 10 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, સંતોષ ગંગવાર ઝારખંડના રાજ્યપાલ બન્યા, તો ગુલાબચંદ કટારિયાએ પંજાબની કમાન સંભાળી… જુઓ અહીં સંપૂર્ણ યાદી

New Governors: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમજ ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

by Hiral Meria
The governors of these 10 states changed, Santosh Gangwar became the governor of Jharkhand and Gulab Chand Kataria took charge of Punjab

News Continuous Bureau | Mumbai 

New Governors: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકાર્યું લીધુ હતું. આ સાથે જ રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu )  અન્ય રાજ્યોમાં રાજ્યપાલોની નવી નિમણૂકોની પણ જાહેરાત કરી હતી. 83 વર્ષીય બનવારીલાલ પુરોહિતે અંગત કારણોસર ભારતના રાષ્ટ્રપતિને લખેલા ટૂંકા પત્રમાં ફેબ્રુઆરીમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

તેમના પત્રમાં પુરોહિતે કહ્યું હતું કે, વ્યક્તિગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે, હું ચંદીગઢના કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ અને પ્રશાસકના પદ પરથી મારું રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને આને સ્વીકારો.

New Governors: પુરોહિતે તમિલનાડુના રાજ્યપાલ તરીકે ચાર વર્ષના કાર્યકાળ પછી સપ્ટેમ્બર 2021 માં પંજાબના રાજ્યપાલની ભૂમિકા સંભાળી હતી….

પુરોહિતે તમિલનાડુના રાજ્યપાલ ( State Governor ) તરીકે ચાર વર્ષના કાર્યકાળ પછી સપ્ટેમ્બર 2021 માં પંજાબના રાજ્યપાલની ભૂમિકા સંભાળી હતી. પંજાબમાં તેમનો કાર્યકાળ આમ આદમી પાર્ટી (AAP) સરકાર સાથે અવારનવાર અથડામણો ભર્યો રહ્યો હતો, ખાસ કરીને પંજાબ રાજભવન દ્વારા વિવિધ કાયદાઓની બાકી મંજૂરીને લઈને. જ્યારે પણ રાજ્યપાલ પુરોહિતે ચિંતા વ્યક્ત કરી અથવા સ્પષ્ટતા માંગી, ત્યારે મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને સત્તાવાર પ્રવક્તા સહિત AAPએ તેના પર આકરી પ્રતિક્રિયા આપી હતી.  AAP એ વારંવાર પુરોહિત પર ભાજપથી પ્રભાવિત હોવાનો અને તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Surat : સુરત શહેર-જિલ્લા કક્ષાએ “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૪ – ૨૫” યોજાશે

New Governors: આ રાજ્યોમાં નવા ગવર્નરો મળ્યા

  • -હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ ( Rajasthan Governor ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -જિષ્ણુ દેવ વર્માને તેલંગાણાના રાજ્યપાલ ( Telangana Governor ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ ( Chhattisgarh Governor ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -સીપી રાધાકૃષ્ણન, જેઓ હાલમાં ઝારખંડના રાજ્યપાલ છે અને તેલંગાણાનો વધારાનો હવાલો ધરાવે છે, તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -હાલમાં આસામના રાજ્યપાલ રહેલા ગુલાબચંદ કટારિયાને પંજાબ અને ચંદીગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • -લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, જેઓ હાલમાં સિક્કિમના રાજ્યપાલ છે, તેમને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

 

Join Our WhatsApp Community

You may also like