Site icon News Continuous Bureau | Mumbai

New Governors: આ 10 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, સંતોષ ગંગવાર ઝારખંડના રાજ્યપાલ બન્યા, તો ગુલાબચંદ કટારિયાએ પંજાબની કમાન સંભાળી… જુઓ અહીં સંપૂર્ણ યાદી

New Governors: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમજ ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

The governors of these 10 states changed, Santosh Gangwar became the governor of Jharkhand and Gulab Chand Kataria took charge of Punjab

The governors of these 10 states changed, Santosh Gangwar became the governor of Jharkhand and Gulab Chand Kataria took charge of Punjab

News Continuous Bureau | Mumbai 

New Governors: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકાર્યું લીધુ હતું. આ સાથે જ રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu )  અન્ય રાજ્યોમાં રાજ્યપાલોની નવી નિમણૂકોની પણ જાહેરાત કરી હતી. 83 વર્ષીય બનવારીલાલ પુરોહિતે અંગત કારણોસર ભારતના રાષ્ટ્રપતિને લખેલા ટૂંકા પત્રમાં ફેબ્રુઆરીમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Join Our WhatsApp Channel

તેમના પત્રમાં પુરોહિતે કહ્યું હતું કે, વ્યક્તિગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે, હું ચંદીગઢના કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ અને પ્રશાસકના પદ પરથી મારું રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને આને સ્વીકારો.

New Governors: પુરોહિતે તમિલનાડુના રાજ્યપાલ તરીકે ચાર વર્ષના કાર્યકાળ પછી સપ્ટેમ્બર 2021 માં પંજાબના રાજ્યપાલની ભૂમિકા સંભાળી હતી….

પુરોહિતે તમિલનાડુના રાજ્યપાલ ( State Governor ) તરીકે ચાર વર્ષના કાર્યકાળ પછી સપ્ટેમ્બર 2021 માં પંજાબના રાજ્યપાલની ભૂમિકા સંભાળી હતી. પંજાબમાં તેમનો કાર્યકાળ આમ આદમી પાર્ટી (AAP) સરકાર સાથે અવારનવાર અથડામણો ભર્યો રહ્યો હતો, ખાસ કરીને પંજાબ રાજભવન દ્વારા વિવિધ કાયદાઓની બાકી મંજૂરીને લઈને. જ્યારે પણ રાજ્યપાલ પુરોહિતે ચિંતા વ્યક્ત કરી અથવા સ્પષ્ટતા માંગી, ત્યારે મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને સત્તાવાર પ્રવક્તા સહિત AAPએ તેના પર આકરી પ્રતિક્રિયા આપી હતી.  AAP એ વારંવાર પુરોહિત પર ભાજપથી પ્રભાવિત હોવાનો અને તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Surat : સુરત શહેર-જિલ્લા કક્ષાએ “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૪ – ૨૫” યોજાશે

New Governors: આ રાજ્યોમાં નવા ગવર્નરો મળ્યા

 

Passport vs Citizenship પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રાનો દસ્તાવેજ છે વિદેશ મંત્રાલય
El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Exit mobile version