Site icon

કૅબિનેટ વિસ્તરણ પહેલાં આ 8 રાજ્યોના રાજ્યપાલ બદલાયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

એક મોટા બદલાવમાં કેન્દ્ર સરકારે મંગળવારે કૅબિનેટ સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન અને રાજ્યસભામાં ગૃહના નેતા થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત નીચે મુજબ ૮ રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે.

મિઝોરમના રાજ્યપાલ તરીકે હરિ બાબુ કંભામપતિની નિમણૂક કરવામાં આવી છે.

મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે રાજેન્દ્રન્ વિશ્વનાથ આર્લેકરની નિમણૂક કરવામાં આવી છે.

પી.એસ. શ્રીધરન પિલ્લઈની બદલી કરીને ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સત્યદેવ નારાયણ આર્યની બદલી કરીને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રમેશ બૈસની ઝારખંડના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ છે.

બંદારુ દત્તાત્રેયની હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમાયા છે.

શું મહારાષ્ટ્રમાં પણ ‘બિહાર પૅટર્ન’ પ્રમાણે સત્તાપરિવર્તન થશે? મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ રહી છે હલચલ, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ કૅબિનેટ વિસ્તરણ ૭ જુલાઈ અથવા ૯ જુલાઈએ થશે એવા સંકેત મળી રહ્યા છે. આ અગાઉ મોટા ફેરફાર કરાયા છે.

India-EU Trade Deal Final: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પૂર્ણ, લક્ઝરી કાર, દવા અને વાઈનના ભાવમાં થશે ધરખમ ઘટાડો.
Patna Girls Hostel Case: FSL રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે અમાનવીય કૃત્યની પુષ્ટિ, પોલીસ દ્વારા ૬ શંકાસ્પદોના DNA સેમ્પલ લેવાયા; તપાસ તેજ
India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Exit mobile version