PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ULFA સાથે સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યાની પ્રશંસા કરી

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે ULFA સાથે સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવાથી આસામમાં કાયમી પ્રગતિનો માર્ગ મોકળો થયો છે.

by Hiral Meria
The PM Narendra Modi appreciated the signing of the Memorandum of Understanding with ULFA

 News Continuous Bureau | Mumbai  

PM Narendra Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે ULFA સાથે સમાધાનના મેમોરેન્ડમ ( Settlement Memorandum ) પર હસ્તાક્ષર કરવાથી આસામમાં ( Assam ) કાયમી પ્રગતિનો માર્ગ મોકળો થયો છે. 

ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ( Amit Shah ) પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ભારત સરકાર ( Indian Govt ) અને આસામ સરકારે ( Assam Govt )  રાજ્યના સૌથી જૂના વિદ્રોહી જૂથ ULFA સાથે સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. બળવાખોર જૂથ ( rebel group ) હિંસાનો માર્ગ છોડી દેવા, તમામ શસ્ત્રો અને દારૂગોળો સમર્પણ કરવા, કાયદા દ્વારા સ્થાપિત શાંતિપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં જોડાવા અને દેશની અખંડિતતાને જાળવી રાખવા સંમત થયું છે.

આ સમાચાર પણ વાંચો :  Anil Ambani: અનીલ અંબાણીની આ કંપનીનો શેર બન્યો રોકેટ…. 9 રુપિયાથી હવે આટલા રુપિયાને થયો પાર..જાણો વિગતે.

પ્રધાનમંત્રીએ X પર જવાબમાં પોસ્ટ કર્યું:

“આજે શાંતિ અને વિકાસ તરફ આસામની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કરાર, આસામમાં સ્થાયી પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. હું આ સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં સામેલ તમામના પ્રયત્નોની પ્રશંસા કરું છું. સાથે મળીને, અમે એકતા, વિકાસના ભવિષ્ય અને બધા માટે સમૃદ્ધિ તરફ આગળ વધીએ છીએ..”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More