Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું

PM Narendra Modi: “બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ગૃહમાં સભ્યોનું વર્તન અને તેમાં અનુકૂળ વાતાવરણ વિધાનસભાની ઉત્પાદકતાને સીધી અસર કરે છે. કેટલાક પક્ષકારો તેમના સભ્યોને સલાહ આપવાને બદલે તેમની વાંધાજનક વર્તણૂકને ટેકો આપે છે. હવે આપણે દોષિત ભ્રષ્ટ વ્યક્તિઓનો જાહેરમાં મહિમા જોઈ રહ્યા છીએ, જે કારોબારી, ન્યાયતંત્ર અને બંધારણની અખંડિતતા માટે હાનિકારક છે. ભારતની પ્રગતિ આપણાં રાજ્યોની પ્રગતિ પર નિર્ભર છે અને રાજ્યોની પ્રગતિ તેમના વિકાસ લક્ષ્યોને સામૂહિક રીતે વ્યાખ્યાયિત કરવા માટે તેમની કાયદાકીય અને કાર્યકારી સંસ્થાઓના નિર્ધારણ પર આધારિત છે. ન્યાયતંત્રના સરળીકરણથી સામાન્ય માનવીના પડકારોને હળવા કર્યા છે અને જીવનની સરળતામાં વધારો થયો છે"

The Prime Minister addressed the All India Presiding Officers Conference

The Prime Minister addressed the All India Presiding Officers Conference

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. 

Join Our WhatsApp Community

75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીને ( Republic Day Celebrations ) ધ્યાનમાં રાખીને આ સંમેલનના મહત્વ પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ( All India Presiding Officers Conference ) પરિષદ 75માં પ્રજાસત્તાક દિન પછી તરત જ યોજાય છે, જે આપણા બંધારણના ( Constitution ) 75મા વર્ષની ઉજવણી છે, ત્યારે આ પરિષદનું વધારે મહત્વ છે.”

બંધારણ સભામાંથી શીખવાના મહત્ત્વ પર વિચાર કરતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “આપણી બંધારણ સભામાંથી ( Constituent Assembly ) ઘણું બધું શીખવા જેવું છે. બંધારણ સભાના સભ્યોની જવાબદારી હતી કે તેઓ વિવિધ વિચારો, વિષયો અને અભિપ્રાયો વચ્ચે સર્વસંમતિ સાધે અને તેઓ તે પ્રમાણે જ ખરા ઊતરે.” ઉપસ્થિત પ્રિસાઇડિંગ અધિકારીઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રી મોદીએ તેમને ફરી એકવાર બંધારણ સભાના આદર્શોમાંથી પ્રેરણા લેવા વિનંતી કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તમારા સંબંધિત કાર્યકાળમાં, ભવિષ્યની પેઢીઓ માટે વારસા તરીકે સેવા આપી શકે તેવો વારસો છોડવાનો પ્રયાસ કરો.”

વિધાનસભાની ( Assembly ) કામગીરી વધારવાની જરૂરિયાત પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “આજની પરિસ્થિતિમાં વિધાનસભાઓ અને સમિતિઓની કાર્યદક્ષતામાં વધારો કરવો મહત્ત્વપૂર્ણ છે, જેમાં જાગૃત નાગરિકો દરેક પ્રતિનિધિની ચકાસણી કરે છે.”

વિધાનસભાની અંદર શિષ્ટાચાર જાળવવાના મુદ્દાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “ગૃહમાં સભ્યોના આચરણ અને તેમાં અનુકૂળ વાતાવરણ વિધાનસભાની ઉત્પાદકતાને સીધી અસર કરે છે. આ પરિષદમાંથી પ્રાપ્ત નક્કર સૂચનો ઉત્પાદકતા વધારવામાં સહાયક બનશે.” તેમણે ઉમેર્યું કે પ્રતિનિધિઓ દ્વારા ગૃહમાં આચરણ ગૃહની છબી નક્કી કરે છે. તેમણે એ હકીકત પર દુ:ખ વ્યક્ત કર્યું કે પક્ષો તેમના સભ્યોના વાંધાજનક વર્તનને ઘટાડવાને બદલે તેમના સમર્થનમાં બહાર આવે છે. તેમણે કહ્યું હતું કે, “સંસદ કે વિધાનસભાઓ માટે આ સારી સ્થિતિ નથી.”

જાહેર જીવનમાં વિકસી રહેલા ધારાધોરણો પર વિચાર કરતા પ્રધાનમંત્રી મોદીએ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “ભૂતકાળમાં, ઘરના સભ્ય સામે ભ્રષ્ટાચારના આરોપો તેમને જાહેર જીવનમાંથી હાંકી કાઢવા તરફ દોરી જતા હતા. જો કે, હવે આપણે દોષિત ભ્રષ્ટ વ્યક્તિઓનો જાહેરમાં મહિમા જોઈ રહ્યા છીએ, જે કારોબારી, ન્યાયતંત્ર અને બંધારણની અખંડિતતા માટે હાનિકારક છે, “તેમણે ટિપ્પણી કરી. પ્રધાનમંત્રી મોદીએ સંમેલન દરમિયાન આ વિષય પર ચર્ચા કરવા અને નક્કર સૂચનો પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

ભારતની પ્રગતિને આકાર આપવામાં રાજ્ય સરકારો અને તેમની વિધાનસભાઓની મુખ્ય ભૂમિકાને બિરદાવતાં પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતની પ્રગતિ આપણા રાજ્યોની પ્રગતિ પર નિર્ભર છે. અને રાજ્યોની પ્રગતિ તેમના વિકાસ લક્ષ્યોને સામૂહિક રીતે વ્યાખ્યાયિત કરવા માટે તેમની કાયદાકીય અને કાર્યકારી સંસ્થાઓના નિશ્ચય પર આધારિત છે. ” આર્થિક પ્રગતિ માટે સમિતિઓને સશક્ત બનાવવાના મહત્વ પર બોલતા, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “તમારા રાજ્યની આર્થિક પ્રગતિ માટે સમિતિઓનું સશક્તીકરણ મહત્વપૂર્ણ છે. આ સમિતિઓ નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જેટલી વધુ સક્રિયતાથી કામ કરશે, તેટલી જ વધુ રાજ્ય પ્રગતિ કરશે.”

આ સમાચાર પણ વાંચો :  Mumbai local : મુસાફરોને હાલાકી.. રવિવારે ત્રણેય રૂટ પર મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડયુલ..

કાયદાઓને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાતને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ નિરર્થક કાયદાઓને રદ કરવાના કેન્દ્ર સરકારના પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો હતો. “છેલ્લા એક દાયકામાં, કેન્દ્ર સરકારે બે હજારથી વધુ કાયદાઓ રદ કર્યા છે જે આપણી સિસ્ટમ માટે હાનિકારક હતા. તેમણે જણાવ્યું હતું કે, ન્યાયિક વ્યવસ્થાનાં આ સરળીકરણને કારણે સામાન્ય માનવી જે પડકારોનો સામનો કરી રહ્યો છે, તેને હળવો કરવામાં આવ્યો છે અને જીવન જીવવાની સરળતામાં વધારો થયો છે.” પ્રધાનમંત્રી મોદીએ પ્રિસાઇડિંગ અધિકારીઓને બિનજરૂરી કાયદાઓ અને નાગરિકોના જીવન પર તેની અસર પર ધ્યાન આપવા હાકલ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને દૂર કરવાથી નોંધપાત્ર હકારાત્મક અસર થશે.

નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓની ભાગીદારી અને પ્રતિનિધિત્વ વધારવાનાં ઉદ્દેશ સાથે સંબંધિત સૂચનો પર ચર્ચાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ભારત જેવા દેશમાં સમિતિઓમાં મહિલાઓને સશક્ત બનાવવા અને તેમનું પ્રતિનિધિત્વ વધારવાના પ્રયત્નોને વિસ્તૃત કરવા જોઈએ.” એ જ રીતે તેમણે સમિતિઓમાં યુવાનોની ભાગીદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણા યુવા પ્રતિનિધિઓને નીતિ નિર્માણમાં તેમના મંતવ્યો અને ભાગીદારી રજૂ કરવાની મહત્તમ તક મળવી જ જોઇએ.”

અંતે, પ્રધાનમંત્રી મોદીએ 2021માં પ્રિસાઇડિંગ અધિકારીઓને તેમના સંબોધનમાં રજૂ કરેલા વન નેશન -વન લેજિસ્લેટિવ પ્લેટફોર્મની વિભાવનાને યાદ કરી અને ખુશી વ્યક્ત કરી કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ ઇ-વિધાન અને ડિજિટલ સંસદ પ્લેટફોર્મના માધ્યમથી આ લક્ષ્ય પર કામ કરી રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version