Prime Minister: પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર નમન કર્યા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

by Hiral Meria
The Prime Minister paid obeisance to Shri Guru Teg Bahadurji on his Martyrdom Day.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) શ્રી ગુરુ તેગ બહાદુરજીને (  guru teg bahadur ji ) તેમના શહીદી દિવસ ( Martyrdom Day ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, શ્રી ગુરુ તેગ બહાદુરજીનું સ્વતંત્રતા અને માનવીય ગૌરવ માટે અપ્રતિમ બલિદાનનો પડઘો સમયપર્યંત પ્રતિબિંબિત થાય છે, જેણે માનવતાને પ્રામાણિકતા અને કરુણા સાથે જીવવા માટે પ્રેરિત કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી,

“આજે આપણે શ્રી ગુરુ તેગ બહાદુરજીની શહાદતને યાદ કરીએ છીએ, જેઓ સાહસ અને તાકાતના દીવાદાંડી સમાન હતા. સ્વતંત્રતા અને માનવીય ગૌરવ માટે તેમનું અપ્રતિમ બલિદાન સમયની સાથે પડઘો પાડે છે, જેણે માનવતાને પ્રામાણિકતા અને કરુણા સાથે જીવવાની પ્રેરણા આપી છે. એકતા અને સદાચાર પર ભાર મૂકતા તેમના ઉપદેશો, બંધુત્વ અને શાંતિની શોધમાં આપણો માર્ગ પ્રકાશિત કરે છે.”

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં CISF જવાને કરી આત્મહત્યા, પોતાની બંદુક વડે કર્યું આ કૃત્ય.. પોલીસ તપાસ ચાલુ.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More