News Continuous Bureau | Mumbai
NITI Aayog PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ વર્ષની થીમ ‘Viksit Bharat@2047‘ છે, જેમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર કેન્દ્રિત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ( Governing Council meeting ) વિકસિત ભારત@2047 પર વિઝન ડોક્યુમેન્ટ માટે એપ્રોચ પેપર પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી શાસન અને જોડાણને પ્રોત્સાહન આપવાનો છે, જે સરકારી હસ્તક્ષેપોની ડિલિવરી મિકેનિઝમને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસતિ માટે જીવનની ગુણવત્તાને વધારવાનો છે. આ બેઠકમાં વિકસિત ભારત @2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં રાજ્યોની ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા પણ કરવામાં આવશે.
જીડીપી 5 ટ્રિલિયન અમેરિકન ડોલરને પાર કરીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે અગ્રેસર છે અને વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન અમેરિકન ડોલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચવાની આકાંક્ષા ધરાવે છે. ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ ( Viksit Bharat ) નું વિઝન હાંસલ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી અભિગમની જરૂર પડશે. ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકનો ઉદ્દેશ આ વિઝન માટે એક રોડમેપ તૈયાર કરવાનો છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ‘ટીમ ઇન્ડિયા’ તરીકે ટીમવર્કને પ્રોત્સાહન આપશે.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : પેરિસ ખાતે ઓલિમ્પિક્સ-૨૦૨૪માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના 3 સહિત ભારતના તમામ ખેલાડીઓને જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ 27-29 ડિસેમ્બર, 2023 દરમિયાન આયોજિત મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની ભલામણો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ‘જીવન જીવવાની સરળતા’ની મુખ્ય થીમ હેઠળ મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદ દરમિયાન નીચેનાં પાંચ મુખ્ય વિષયો પર ભલામણો કરવામાં આવી હતીઃ
- પીવાનું પાણીઃ સુલભતા, માત્રા અને ગુણવત્તા
 - વિદ્યુતઃ ગુણવત્તા, કાર્યદક્ષતા અને વિશ્વસનીયતા
 - આરોગ્યઃ સુલભતા, વાજબીપણું અને સારસંભાળની ગુણવત્તા
 - શાળાકીય શિક્ષણઃ સુલભતા અને ગુણવત્તા
 - જમીન અને સંપત્તિઃ સુલભતા, ડિજિટાઇઝેશન, નોંધણી અને પરિવર્તન
 
આ ઉપરાંત સાયબર સુરક્ષા, મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સ કાર્યક્રમ, રાજ્યોની ભૂમિકા અને શાસનમાં એઆઈ પર વિચાર-વિમર્શ કરવા માટે વિશેષ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના પર મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદ દરમિયાન પણ ચર્ચા થઈ હતી.
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની તૈયારીમાં, ડિસેમ્બર 2023 ના અંતમાં ત્રીજી મુખ્ય સચિવોની પરિષદ યોજાઇ હતી, જે દરમિયાન આ પાંચ મુખ્ય વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારનાં સચિવો તથા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્ય સચિવો માળખાને વ્યાખ્યાયિત કરવા અને ‘વિકસિત Bharat@2047’નાં એજન્ડા માટે સૂચનો પ્રદાન કરવા માટેની સલાહકાર પ્રક્રિયાનો ભાગ હતાં.
પ્રધાનમંત્રી ( NITI Aayog PM Modi ) નીતિ આયોગના અધ્યક્ષ છે. અન્ય ઉપસ્થિતોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નર, હોદ્દાની રૂએ સભ્ય અને વિશેષ આમંત્રિતો તરીકે કેન્દ્રીય મંત્રીઓ તથા નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ અને સભ્યો સામેલ હશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Raigad: અલીબાગના દરિયામાં જેએસડબલ્યુ કાર્ગો શિપ ખોરવાઈ, 14 ખલાસીઓને બચાવી લેવાયા; જુઓ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો.