Site icon

Narendra Modi: ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન: ‘એવો કોઈ કાયદો ન હોવો જોઈએ જે જનતાને પરેશાન કરે’, જાણો પીએમ મોદીએ કયા કાયદાઓ પર સવાલ ઉઠાવ્યા

ઇન્ડિગો એરલાઇનના સંચાલન સંકટ અને સેંકડો ફ્લાઇટ્સ રદ થવા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું કે કાયદા અને નિયમોનો ઉપયોગ લોકોના જીવનને સરળ બનાવવા માટે થવો જોઈએ, તેમને પરેશાન કરવા માટે નહીં.

Narendra Modi ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન 'એવો કોઈ કાયદો ન હો

Narendra Modi ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન 'એવો કોઈ કાયદો ન હો

News Continuous Bureau | Mumbai

Narendra Modi  ઇન્ડિગો એરલાઇન દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા સર્જાયેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાને આ વાત કરી હતી.

Join Our WhatsApp Community

PM મોદીના નિવેદનનું મુખ્ય લક્ષ્ય

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વડાપ્રધાનના નિવેદનની માહિતી આપતા જણાવ્યું કે મોદીજીએ સુધારા પર ભાર મૂક્યો છે, જેનો ઉદ્દેશ્ય દેશના સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવાનો છે. વડાપ્રધાને કહ્યું કે, “કાયદો-નિયમ સારો છે, પરંતુ સિસ્ટમને ઠીક કરવા માટે, જનતાને પરેશાન કરવા માટે નહીં.”તેમણે ભારપૂર્વક કહ્યું કે, “કોઈપણ એવો કાયદો અને નિયમ ન હોવો જોઈએ જે સામાન્ય લોકોને પરેશાન કરે.”વડાપ્રધાને તમામ સાંસદોને માર્ગદર્શન આપ્યું છે કે એક ભારતવાસી હોવાના નાતે સૌને એ સુનિશ્ચિત કરવાનું છે કે સરકાર તરફથી કોઈને પણ તકલીફ ન પડે.

આ સમાચાર પણ વાંચો : Vande Mataram: વંદે માતરમ પર મોદી અને મમતા સહમત, પણ કોંગ્રેસ-અખિલેશને કેમ વાંધો? જાણો વિપક્ષમાં કેમ છે મતભેદ!

સંકટમાં ઇન્ડિગો પર કાર્યવાહીની તૈયારી

વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મંગળવારે પણ ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. મંગળવારે બેંગલુરુ અને હૈદરાબાદથી આશરે ૧૮૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જ્યારે દિલ્હી અને અમદાવાદ જેવા એરપોર્ટ પર પણ ફ્લાઇટ કેન્સલેશન જોવા મળ્યું.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જાહેરાત કરી છે કે સરકાર ઇન્ડિગોને સજાના ભાગરૂપે તેના સ્લોટ્સમાં ચોક્કસપણે ઘટાડો કરશે અને તે સ્લોટ્સ અન્ય સ્થાનિક એરલાઇન્સને આપવામાં આવશે.

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
Commercial LPG Shortage India: યુદ્ધની અસર હવે રસોડાથી સ્મશાન સુધી! ગેસ સપ્લાય ખોરવાતા બેંગલુરુ અને પુણેમાં હાહાકાર; કોમર્શિયલ ગેસના બાટલા માટે મચી પડાપડી.
Exit mobile version