Site icon

2022નું પ્રથમ વાવાઝોડું ‘અસાની’ દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં, આ તારીખે આંદામાન અને નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા

News Continuous Bureau | Mumbai

વર્ષ 2022નું પ્રથમ વાવાઝોડું ‘અસાની’ દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં રચાયું છે. 

Join Our WhatsApp Community

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર ૨૦ માર્ચ સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા છે.

આ પછી તે ઉત્તર-ઉત્તરપૂર્વની તરફ આગળ વધશે અને ૨૨ માર્ચની સવારની આસપાસ બાંગ્લાદેશ ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાએ પહોંચવાની સંભાવના છે. 

આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું છે કે હવામાન પ્રણાલી સોમવારે ચક્રવાકી તોફાનમાં તબદિલ થવાની શક્યતા છે. 

જો આ સિસ્ટમ ચક્રવાતમાં તબદિલ થાય છે તો તેનું નામ ‘અસાની’ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ નામ શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :અરેરેરે!! ભારતીય રેલવેએ સિનિયર સિટિઝનો માટે આ સુવિધા બંધ કરી, હવે ચૂકવવું પડશે પૂરું ભાડું.. જાણો વિગતે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version