Site icon News Continuous Bureau | Mumbai

Tiger Deaths India 2025: MP Tiger Death: શું મધ્યપ્રદેશ પાસેથી છીનવાઈ જશે ‘ટાઇગર સ્ટેટ’નો તાજ? એક જ વર્ષમાં અધધ આટલા વાઘના મોતથી દેશભરમાં ખળભળાટ

‘પ્રોજેક્ટ ટાયગર’ના ૫૨ વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી જાનહાનિ; વીજ કરંટ, શિકાર અને પરસ્પર સંઘર્ષ બન્યા કારણ, વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલો.

Tiger Deaths India 2025 MP Tiger Death શું મધ્યપ્રદેશ પાસે

Tiger Deaths India 2025 MP Tiger Death શું મધ્યપ્રદેશ પાસે

News Continuous Bureau | Mumbai

Tiger Deaths India 2025  દેશમાં વાઘના સંરક્ષણ માટેના દાવાઓ વચ્ચે ૨૦૨૫નું વર્ષ અત્યંત નિરાશાજનક રહ્યું છે. એકલા મધ્યપ્રદેશમાં જ ૫૫ વાઘના મોત નિપજ્યા છે, જે ૨૦૨૪ ના ૪૬ અને ૨૦૨૩ ના ૪૫ ના આંકડા કરતા ઘણા વધારે છે. વન વિભાગના જણાવ્યા મુજબ, મોટાભાગના મૃત્યુ કુદરતી છે, પરંતુ ૧૧ વાઘના મોત અકુદરતી રીતે થયા છે, જેમાં ૮ વાઘના મોત ખેતરોમાં મુકાયેલા ગેરકાયદેસર વીજ કરંટને કારણે થયા છે. તાજેતરમાં બુંદેલખંડના સાગર વિસ્તારમાં એક ૧૦ વર્ષના વાઘનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું છે.

Join Our WhatsApp Channel

૨૦૨૫માં સમગ્ર ભારતમાં વાઘના મોત

નેશનલ ટાયગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ના ડેટા મુજબ, ૨૦૨૫ માં ડિસેમ્બરના અંત સુધીમાં સમગ્ર ભારતમાં અંદાજે ૧૬૨ વાઘના મોત થયા છે. જેમાં મધ્યપ્રદેશ (૫૫) પ્રથમ ક્રમે છે, જ્યારે ઉત્તરાખંડમાં ૧૯ અને મહારાષ્ટ્રમાં અંદાજે ૩૬ વાઘના મોત નોંધાયા છે. વાઘની વધતી જતી સંખ્યા અને સંકુચિત થતા જંગલોને કારણે વાઘ વચ્ચેનો પ્રાદેશિક સંઘર્ષ (Territorial Conflict) પણ મૃત્યુનું મુખ્ય કારણ બન્યો છે.

મધ્યપ્રદેશમાં મૃત્યુનો ચિંતાજનક ટ્રેન્ડ

મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાઘના મૃત્યુમાં સતત વધારો થયો છે:
૨૦૨૧: ૩૪ વાઘ
૨૦૨૨: ૪૩ વાઘ
૨૦૨૩: ૪૫ વાઘ
૨૦૨૪: ૪૬ વાઘ
૨૦૨૫: ૫૫ વાઘ (રેકોર્ડ) વરિષ્ઠ અધિકારીઓ આ વધારાને વધતી જતી વસ્તીનું પરિણામ ગણાવે છે, પરંતુ સંરક્ષણવાદીઓ શિકાર અને માનવ-વન્યજીવ સંઘર્ષને મુખ્ય જોખમ માને છે.

આ સમાચાર પણ વાંચો : BMC Election 2026: BMC ચૂંટણી માટે ઠાકરે બંધુઓની ઉમેદવાર યાદી જાહેર: ઉદ્ધવ ઠાકરેના ૧૩૫ અને રાજ ઠાકરેના ૫૨ ઉમેદવારો મેદાનમાં.

શું છે વન વિભાગની દલીલ?

વન વિભાગનું કહેવું છે કે વાઘની સંખ્યા વધતા મૃત્યુઆંક વધવો સ્વાભાવિક છે. ૨૦૨૨ ની ગણતરી મુજબ રાજ્યમાં ૭૮૫ વાઘ હતા. જોકે, ૩૬ જેટલા મૃત્યુ ‘રહસ્યમય’ હોવાથી અને કેટલાક કિસ્સાઓમાં પંજા કપાયેલી હાલતમાં મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે વાઘના અંગોની તસ્કરી થતી હોવાની આશંકા પણ સેવાય રહી છે.

 

Lashkar terrorist killed in Shopian જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, શોપિયાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ખૂંખાર આતંકવાદી ઠાર..
Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાંથી હટાવ્યા બાદ ચંપત રાયનું પ્રથમ નિવેદન ‘બધા આરોપોનો જવાબ આપીશ, સત્ય સામે આવશે’
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Archaeological Survey of India ASI પુરાતત્વ સર્વેક્ષણ અને ઐતિહાસિક પુરાવા પ્રાચીન ઇમારતોના રહસ્યો ખોલતી ASI ની પદ્ધતિ
Exit mobile version