Tirupati Laddu Controversy : તિરુપતિ મંદિર પરિસરમાં 4 કલાક મહાશાંતિ યજ્ઞ; ભગવાન વેંકટેશ્વર સ્વામીની માફી મંગાઇ; જુઓ વિડીયો

Tirupati Laddu Controversy : તિરુપતિ બાલાજી મંદિરમાં વિશેષ પૂજા અને હવનનું આયોજન કરીને મંદિરને શુદ્ધ કરવાની પહેલ કરવામાં આવી હતી. મંદિરમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીઓએ ભાગ લીધો હતો. આ ધાર્મિક વિધિ દરમિયાન, લાડુ અને અન્ય પ્રસાદમ રસોડાને વિશિષ્ટ રીતે શુદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી કોઈના મનમાં કોઈ આશંકા ન રહે.

by kalpana Verat
Tirupati Laddu Controversy Tirumala temple ‘sanitised’ amid animal fat row

 News Continuous Bureau | Mumbai

Tirupati Laddu Controversy : આંધ્ર પ્રદેશના જાણીતા મંદિર તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુમાં પશુઓની ચરબી અને માછલીના તેલની ભેળસેળનો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે, દરમિયાન હવે આ અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તિરુમાલા મંદિરમાં શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી હતી. મંદિરને પંચગવ્યથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. આ વિધિ તિરુપતિ દેવસ્થાનમે પ્રાયશ્ચિત માટે શરૂ કરી હતી. ધાર્મિક વિધિનો હેતુ ભૂલને સુધારવા અને મંદિરની પવિત્રતા જાળવવાનો છે. 

Tirupati Laddu Controversy : તિરુપતિ મંદિરમાં શુદ્ધિકરણ વિધિઃ

અનુષ્ઠાન માટે મહાશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરુપતિ મંદિરમાં શુદ્ધિકરણ વિધિઃ સમગ્ર સ્થળને પંચગવ્ય એટલે કે પાંચ પવિત્ર વસ્તુઓથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. પંચગવ્યમાં ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબરનો સમાવેશ થાય છે. આ પછી, લાડુ પોટ્ટુ એટલે કે લાડુ બનાવવાના રસોડા અને અન્નપ્રસાદમ પોટ્ટુ એટલે કે પ્રસાદ બનાવવાના રસોડામાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું. આ પછી, મંદિરના પૂજારીએ દાવો કર્યો હતો કે મંદિર સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયું છે અને હવે કોઈપણ ભક્ત પ્રસાદ લઈને કોઈપણ ડર વગર પોતાના ઘરે જઈ શકે છે.

 

 

Tirupati Laddu Controversy :  20  પુજારીઓએ પંચગવ્ય સાથે સમગ્ર તિરુમાલા મંદિર પરિસરને શુદ્ધ 

શુદ્ધિકરણ દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પુજારીઓ  પંચગવ્ય સાથે સમગ્ર તિરુમાલા મંદિર પરિસરને શુદ્ધ કરવામાં સામેલ હતા. આ માટેનો ધાર્મિક સમય સવારે 6:00 વાગ્યે શરૂ થયો હતો અને સવારે 10 વાગ્યા સુધી સમાપ્ત થયો હતો. આ માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. તિરુપતિ તિરુમાલા લાડુ વિવાદ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. પૂજા દરમિયાન મંત્રોના જાપ વચ્ચે ભગવાન વેંકટેશ્વર સ્વામી પાસે ક્ષમા માંગવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાનને બહારથી આવતા પ્રસાદ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Tirupati Laddu Row: તિરુપતિથી આવ્યા હતા અયોધ્યાના રામ લલ્લાના અભિષેક માટે અધધ એક લાખ લાડુ, વિવાદની આગ વધુ ભડકી… જાણો શું કહ્યું સંતોએ..

Tirupati Laddu Controversy : શું છે મામલો?

વાસ્તવમાં, તાજેતરમાં તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની ભેળસેળનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અનેક લોકોએ તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલાને લઈને ખુદ આંધ્રપ્રદેશના સીએમએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે કરોડો શ્રદ્ધાળુઓની ભાવનાઓ, પરંપરાઓ અને ધાર્મિક પ્રથાઓ સાથે રમત રમી શકાય નહીં. દોષિત કર્મચારીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More