દેશને સંબોધન કરતાં પીએમ મોદી થયાં ભાવુક.. કહ્યું કોરોનાની રસીને લઈ દરેક ભારતીય આજે ગર્વ અનુભવે છે. જાણો વિસ્તૃત મુદ્દાઓ.. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021 

આજે સવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી. સૌથી પહેલાં પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત જ નથી ફર્યા. 

# પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ # 

> પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. 

> દેશમાં 3006 કેન્દ્રો પર રસીકરણની શરૂઆત થઈ. 

> દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ થઇ થયું. 

> બહુ ઓછા સમયમાં બે બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન મળી. આ રસી ભારતના ટેલેન્ટનો પુરાવો છે. 

> વેક્સિનેશન અભિયાન સિદ્ધાંત પર આધારિત છે. ડોક્ટર, મેડિકલ સ્ટાફને સૌથી પહેલા રસી મળશે. હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વોરિયરને પણ મળશે રસી. 

> વિદેશી રસી કરતા ભારતની રસી બહુ સસ્તી અને ઉપયોગમાં સરળ છે. 

> અફવાથી દુર રહેવાની અપિલ કરતા મોદીએ કહ્યું કે, ભારતની દુનિયામાં વિશ્વસનીયતા છે. મોટાભાગની બાળકો માટેની રસી આજે ભારતમાં બને છે. 

> રસીકરણ માટે ટ્રેકિગથી રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરાઈ છે. રસીકરણના બે ડોઝ લેવા જરૂરી. બે ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર રાખવું પણ જરૂરી છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More