TRAI: ટ્રાઈ એ બહાર પાડ્યું ‘રાષ્ટ્રીય પ્રસારણ નીતિ-2024ની રચના માટેના ઇનપુટ્સ’ પર પરામર્શ પત્ર, આ તારીખ સુધીમાં હિતધારકો પાસેથી સ્વીકારવામાં આવશે લેખિત ટિપ્પણીઓ..

TRAI : ટ્રાઈએ 'રાષ્ટ્રીય પ્રસારણ નીતિ-2024ની રચના માટેના ઇનપુટ્સ' પર પરામર્શ પત્ર બહાર પાડ્યું

by Hiral Meria
TRAI releases consultation paper on 'Inputs for formulation of National Broadcasting Policy-2024'

News Continuous Bureau | Mumbai 

TRAI : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ આજે ‘રાષ્ટ્રીય પ્રસારણ નીતિ-2024ની રચના માટેના ઈનપુટ્સ’ પર પરામર્શ પત્ર બહાર પાડ્યું છે. 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ( Ministry of Information and Broadcasting ) 13મી જુલાઈ 2023ના સંદર્ભ દ્વારા ટ્રાઈને રાષ્ટ્રીય પ્રસારણ નીતિની ( National Broadcasting Policy ) રચના માટે ટ્રાઈ એક્ટ, 1997ની કલમ 11 હેઠળ તેના ધ્યાનમાં લેવાયેલા ઈનપુટ્સ ( inputs )  પ્રદાન કરવા વિનંતી કરી હતી. પ્રથમ પગલા તરીકે, TRAIએ 21મી સપ્ટેમ્બર 2023ના રોજ એક પૂર્વ-કન્સલ્ટેશન પેપર જારી કર્યું, કે જેથી તે મુદ્દાઓ પર પ્રકાશ નાખી શકાય જેના પર રાષ્ટ્રીય પ્રસારણ નીતિના નિર્માણ માટે વિચાર કરવો જરુરી છે. ટ્રાઈને 28 ટિપ્પણીઓ મળી. તેણે લેખિત સબમિશન અને મીટિંગ્સમાંથી ઉદ્ભવતા મુદ્દાઓની તપાસ કરી, વિવિધ મીડિયા અને ઉદ્યોગ અહેવાલો, જાહેર દસ્તાવેજો, આંતરરાષ્ટ્રીય પ્રથાઓ અને સરકાર દ્વારા સેક્ટરના હાલના મુદ્દાઓની તપાસ કરવા માટે લેવાયેલા પહેલોનો અભ્યાસ કર્યો.

તદનુસાર, ‘રાષ્ટ્રીય પ્રસારણ નીતિ-2024ની રચના માટેના ઇનપુટ્સ’ પર આ કન્સલ્ટેશન પેપર હિતધારકો પાસેથી ટિપ્પણીઓ મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને TRAIની વેબસાઇટ (www.trai.gov.in) પર મૂકવામાં આવ્યું છે. પરામર્શ પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર લેખિત ટિપ્પણીઓ 30મી એપ્રિલ 2024 સુધીમાં હિતધારકો પાસેથી સ્વીકારવામાં આવશે. નોંધનીય છે કે આ કન્સલ્ટેશન પેપરમાં કોઈ પ્રતિ-ટિપ્પણીઓ આમંત્રિત કરવામાં આવી નથી, કારણ કે આ પેપર પ્રસારણ નીતિ માટે ઇનપુટ્સની રચના કરવા માગે છે.

પ્રસારણ ( Broadcasting  ) ક્ષેત્ર એ એક ઉભરતું જતું ક્ષેત્ર છે જે ભારતીય અર્થતંત્રના વિકાસમાં ફાળો આપી શકે તેવી વિશાળ સંભાવના ધરાવે છે. નીતિ નિર્માણ માટે ઈનપુટનો ઉદ્દેશ્ય નવી અને ઉભરતી તકનીકોના યુગમાં દેશમાં પ્રસારણ ક્ષેત્રના આયોજિત વિકાસ અને વૃદ્ધિ માટે વિઝન, મિશન, ઉદ્દેશ્યો અને વ્યૂહરચનાઓ નિર્ધારિત કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  Chhattisgarh: MP બાદ છત્તીસગઢમાં પણ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 9ના મોત, હજી પણ એન્કાઉન્ટર ચાલુ..

કન્સલ્ટેશન પેપર ભારતને ‘ગ્લોબલ કન્ટેન્ટ હબ’ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રસારણ ક્ષેત્રમાં પ્રચલિત સંબંધિત મુદ્દાઓને પ્રકાશિત કરે છે. પરામર્શ પત્ર નીતિ અને નિયમનકારી પગલાં અને સાર્વત્રિક પહોંચ દ્વારા અર્થતંત્રમાં યોગદાન વધારવા, R&D પર ધ્યાન કેન્દ્રિત કરીને નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટ-અપ પ્રમોશનની સુવિધા માટે અપનાવવામાં આવનારી વ્યૂહરચનાઓ પર પ્રશ્નો ઉઠાવે છે. આ પેપરમાં જાહેર સેવા પ્રસારણને મજબૂત કરવા, મીડિયા અને મનોરંજન ક્ષેત્રના વિવિધ વિભાગો પરના મુદ્દાઓ, ચાંચિયાગીરી સામે લડવા અને સામગ્રી સુરક્ષાની ખાતરી, મજબૂત પ્રેક્ષકો માપન પ્રણાલી, સ્થળ પરથી પ્રસારણ અને સામાજિક-પર્યાવરણીય જવાબદારીઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે.

લેખિત ટિપ્પણીઓ, પ્રાધાન્યમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, advbcs-2[at]trai[dot]gov[dot]in અને jtadvisor-bcs[at]trai[dot]gov[dot]in પર મોકલી શકાય છે. કોઈપણ સ્પષ્ટતા/માહિતી માટે, શ્રી તેજપાલ સિંહ, સલાહકાર (પ્રસારણ અને કેબલ સેવાઓ), ટ્રાઈનો ટેલિફોન પર સંપર્ક કરી શકાય છે. નંબર: +91-11-23664516.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More