Turkish President on Kashmir : કેનેડા સાથેના તણાવ વચ્ચે, UNમાં કાશ્મીર મૃદ્દે તુર્કીએ ફરી એકવાર દખલ કરી, આપ્યું આ નિવેદન..

Turkish President on Kashmir : તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલતા તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. તેમણે કહ્યું કે આ મુદ્દાને શાંત કરવાથી વિસ્તારમાં સમૃદ્ધિ આવશે. એર્દોગને આ વખતે નરમ વલણ અપનાવ્યું.

by Hiral Meria
Turkish President on Kashmir : Erdogan raises Kashmir at UN, calls for Indo-Pak dialogue

News Continuous Bureau | Mumbai

Turkish President on Kashmir : જી-20 કોન્ફરન્સ (G20 conference) માં ભારત (India) સાથે જોવા મળેલા તુર્કી (Turkey) એ ફરી એકવાર પોતાનો જુનો રંગ બતાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) ના 78મા સત્ર દરમિયાન ( Turkish President ) રાષ્ટ્રપતિ ( recep tayyip erdogan ) રેસેપ તૈયપ એર્દોગને  કહ્યું કે દક્ષિણ એશિયામાં સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાયી રીતે શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે અને આ ભારત અને પાકિસ્તાન (Indian-Pakistan) વચ્ચે વાતચીત દ્વારા જ શક્ય છે. તમને જણાવી દઈએ કે તુર્કી ભૂતકાળમાં પણ પાકિસ્તાન સાથે લગાવ બતાવતું આવ્યું છે અને દરેક વખતે ભારત તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે તેને ભારતના આંતરિક મામલામાં બોલવાની જરૂર નથી.

UNSCમાં કાયમી સભ્યપદ આપવા પર સમર્થન કરશે.

એર્દોગને કહ્યું કે, કાશ્મીરમાં ( Kashmir  ) શાંતિ સ્થાપિત કરવા માટે જે પણ પગલાં લેવામાં આવશે અમે તેનું સમર્થન કરીશું. કાશ્મીર પર બોલ્યા બાદ એર્દોગને એમ પણ કહ્યું કે જો ભારતને UNSCમાં કાયમી સભ્યપદ આપવા પર વિચાર કરવામાં આવે તો તેઓ સમર્થન કરશે. તેમણે કહ્યું કે UNSCમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને તે ગર્વની વાત છે. એર્દોગને કહ્યું કે દુનિયા પાંચ દેશોથી મોટી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી યુએનએસસીમાં માત્ર પાંચ જ સ્થાયી સભ્યો છે અને તે અમેરિકા, યુકે, રશિયા, ફ્રાન્સ અને ચીન છે.

તુર્કીએ પહેલા પણ ઉઠાવ્યો છે કાશ્મીરનો મુદ્દો

આ પહેલીવાર નથી કે જ્યારે તુર્કીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હોય, પરંતુ પાકિસ્તાન સાથે તેનું જોડાણ ઘણીવાર ખુલ્લેઆમ સામે આવે છે. યુએનએચઆરસીની બેઠકમાં પણ એર્દોગને કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. આના પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ અમારી આંતરિક બાબતોથી અંતર જાળવી રાખે. ગયા વર્ષે યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં તેમણે કહ્યું હતું કે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને બંને દેશોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઈએ.

આ  સમાચાર પણ વાંચો :  Ganesh Chaturthi 2023: અંબાણીના ઘરમાં ધામધૂમથી પધાર્યા ગણપતિ બાપ્પા, આખા પરિવારે હોંશે હોંશ ગણેશ ચતુર્થીની કરી ઉજવણી.. જુઓ વિડીયો

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે મત આપ્યો

તુર્કીએ કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં વાતાવરણ બગડ્યું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં 80 લાખથી વધુ લોકો કેદ છે જેમને રાજ્યની બહાર જવાની મંજૂરી નથી. તેઓ ભારતની વિરુદ્ધ ગયા અને યુએનજીએમાં કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે મત આપ્યો. તમને જણાવી દઈએ કે G20 કોન્ફરન્સ દરમિયાન એર્દોગન અને PM મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી જેમાં વેપાર અને અન્ય સહયોગ પર ચર્ચા થઈ હતી. પીએમ એર્દોગનને મોદી અને ભારતની પ્રશંસા કરી રહ્યા હતા. તેમણે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More