Site icon News Continuous Bureau | Mumbai

ટ્વિટર સામે કેન્દ્ર સરકારે કાયદેસરનું સંરક્ષણ પાછું ખેંચ્યું; હવે ખોટી પોસ્ટ જશે તો ટ્વિટર સામે કેસ થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

કેન્દ્ર સરકાર ટ્વિટર પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. નવા IT નિયમોનું પાલન ન કરવા બદલ ટ્વિટરને ભારે કિંમત ચૂકવવી પડી છે. સરકારે હવે નવા દિશાનિર્દેશોનું પાલન ન કરવાને કારણે ટ્વિટરની ભારતમાં મધ્યવર્તી પ્લૅટફૉર્મની સ્થિતિ રદ કરી છે. એટલે કે હવે ટ્વિટરનું કાયદાકીય સંરક્ષણ સમાપ્ત થઈ ગયું છે અને હવે જો કોઈ ખોટી પોસ્ટ કરશે તો ટ્વિટરે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.`

ટ્વિટર દ્વારા 25 મેના રોજ અમલમાં આવેલા નવા IT નિયમોનો અમલ થયો નથી અને એના કારણે સરકારને ટ્વિટર પર આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. સરકારે સમયાંતરે ટ્વિટરને નોટિસ મોકલીને નવા નિયમો લાગુ કરવાની અપીલ કરી હતી, પરંતુ ટ્વિટરે નિયમોની જોગવાઈ અનુસાર જરૂરી નિયુક્તિ કરી ન હતી. હવે જો કોઈ વ્યક્તિ ટ્વિટર પર કોઈ ખોટી પોસ્ટ કરશે, તો તે વ્યક્તિ સહિત ટ્વિટર પર પણ કેસ થઈ શકે છે.

આખરે ટ્વીટરે નમતું જોખ્યું… લીધું આ પગલું

ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરાયો હોવાના વીડિયોના મામલે પણ ટ્વિટર પર કેસ નોંધવામાં આવ્યો છે. ટ્વિટર પર આરોપ છે કે પોલીસ દ્વારા આ વીડિયોની સત્યતા છતી થવા છતાં આ વીડિયો હટાવવામાં આવ્યો નથી. આ તમામ સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર ટ્વિટર પર જ નહીં પરંતુ અન્ય 8 લોકો પર પણ કેસ નોંધવામાં આવ્યો છે.

Sonam Wangchuk Hunger Strike ૨૩ દિવસનો સંઘર્ષ રંગ લાવ્યો કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે બેઠક બાદ સોનમ વાંગચુકે ભૂખ હડતાલ પાછી ખેંચી..
CJP Demands પરીક્ષામાં ગેરરીતિ અને આંદોલનો વચ્ચે મોટો વિકાસ CJPના નેતાઓએ JP નડ્ડાને મળીને સરકાર સમક્ષ મૂક્યો ત્રણ માંગણીઓનો લેખિત પ્રસ્તાવ
India Maritime Power સમુદ્રમાં ભારત બની રહ્યું છે દુનિયાનું સૌથી વિશ્વસનીય પાવરહાઉસ, વૈશ્વિક સુરક્ષા અને વેપારમાં વધતું મહત્વ
Supreme Court SIT અયોધ્યા રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટે SIT ની કરી પુનર્રચના, હવે આગામી સોમવારે થશે મહત્વની સુનાવણી
Exit mobile version