Site icon

અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, યુકેથી આવતા લોકો પર હવે લાગુ થશે આ કડક નિયમો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે હજી પણ કોરોના નાબૂદ થયો નથી પરંતુ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. આ સ્થિતિમાં આવતા મહિને તહેવાર આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતે યુકે સાથે જેવા સાથે તેવા જેવી નીતિ અપનાવી છે. 

ભારત સરકાર દ્વારા કોરોના ના ફેલાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, યુકેથી આવતા તમામ પ્રવાસીઓએ કોવિડ-19ના નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે, યુકેથી આવનાર તમામ મુસાફરોએ 10 દિવસ સુધી ક્વોરન્ટીન થવુ પડશે તે પણ ફજિયાત પણે. મુસાફરોને ભલે જે પણ રસી આપવામાં આવી હોય પણ તેમણે 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવીને આવવું પડશે. પછી ભારતમાં આવ્યા બાદ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.  

આપને જણાવી દઈએ કે આ નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ નિયમ યુકેથી આવતા તમામ નાગરિકોને લાગુ પડશે. 

પંજાબ બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ, પૂર્વ સીએમ સહિતના 12 ધારાસભ્યો TMCમાં જોડાશે; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે બ્રિટેન સરકારે કોરોનાને પગલે યાત્રાને લઈને તેમણે જુદા જુદા નિયમો બનાવ્યા હતા. જેમા શરૂઆતમાં તેમણે કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી પણ નહોતી આપી. પરંતુ બાદમાં ભારતના દબાણમાં આવીને તેમણે વેક્સિનને મંજૂરી આપી હતી. 

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version