Site icon News Continuous Bureau | Mumbai

અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, યુકેથી આવતા લોકો પર હવે લાગુ થશે આ કડક નિયમો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે હજી પણ કોરોના નાબૂદ થયો નથી પરંતુ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. આ સ્થિતિમાં આવતા મહિને તહેવાર આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતે યુકે સાથે જેવા સાથે તેવા જેવી નીતિ અપનાવી છે. 

ભારત સરકાર દ્વારા કોરોના ના ફેલાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, યુકેથી આવતા તમામ પ્રવાસીઓએ કોવિડ-19ના નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે, યુકેથી આવનાર તમામ મુસાફરોએ 10 દિવસ સુધી ક્વોરન્ટીન થવુ પડશે તે પણ ફજિયાત પણે. મુસાફરોને ભલે જે પણ રસી આપવામાં આવી હોય પણ તેમણે 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવીને આવવું પડશે. પછી ભારતમાં આવ્યા બાદ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.  

આપને જણાવી દઈએ કે આ નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ નિયમ યુકેથી આવતા તમામ નાગરિકોને લાગુ પડશે. 

પંજાબ બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ, પૂર્વ સીએમ સહિતના 12 ધારાસભ્યો TMCમાં જોડાશે; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે બ્રિટેન સરકારે કોરોનાને પગલે યાત્રાને લઈને તેમણે જુદા જુદા નિયમો બનાવ્યા હતા. જેમા શરૂઆતમાં તેમણે કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી પણ નહોતી આપી. પરંતુ બાદમાં ભારતના દબાણમાં આવીને તેમણે વેક્સિનને મંજૂરી આપી હતી. 

Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Vijay Wadettiwar| ટ્રમ્પ પરના હુમલાને ગણાવ્યો ‘જનતાનો જવાબ’! વિજય વડેટ્ટીવારના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું.
Exit mobile version