દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(corona pandemic)ની સૌથી વધુ અસર લોકોના ધંધા-રોજગાર (job-business)પર પડ્યો છે. જો કે, હવે સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં ૧૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારી દર (Unemployment)ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૮.૭ ટકા થઈ ગયો છે. આ આંક્ડો ગત વર્ષે આ સમયગાળામાં ૧૦.૩ ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના એક ચોક્કસ સમય પર થતા લેબર ફોર્સ સર્વેમાં આ જાણકારી સામે આવી છે.

દેશમાં કોરોના મહામારી(coronavirus)ને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઓક્ટોબર- ડિસેમ્બર ૨૦૨૦ માં બેરોજરાગી દર(unemployemnt) ઘણો વધારે હતો. એનએસઓના ૧૩ સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર જુલાઈ- સપ્ટેમ્બર ૨૦૨૧ માં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ૯.૮ ટકા હતો. સર્વે અનુસાર શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૧૦.૫ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૧૩.૧ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૧૧.૬ ટકા હતો. 

આ સમાચાર પણ વાંચો : સોનેરી અવસર! G-20 ની અધ્યક્ષતા કરશે ભારત, સરકારે લોગો બનાવવા માટે રાખી આ હરીફાઈ, મંગાવાયા આઈડિયાઝ.. જાણો વિગતે 

પુરુષોમાં બેરોજગારી દર પણ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૮.૩ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૯.૫ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૯.૩ ટકા હતો. શહેરી વિસ્તારમાં સીડબ્લ્યુએસમાં લેબર ફોર્સ ભાગીદારી દર ઓક્ટોબર ડિસેમ્બર ૨૦૨૧ ત્રણ મહિનામાં તેનાથી એક વર્ષ પહેલા આ સમયગાળાની સરખામણીમાં ૪૭.૩ ટકા પર યથાવત રહ્યો. જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં આંકડો ૪૬.૯ ટકા હતો. ઉલ્લેખનીય છે કે, કુલ કાર્યબળમાં બેરોજગાર વ્યક્તિઓના ટકાને બેરોજગારી દર કહેવામાં આવે છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More