Site icon

Uttar Pradesh Train Fire: બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ, 19 મુસાફરો ઘાયલ.. 12 કલાકમાં 2 ટ્રેન આગની લપેટમાં.. જુઓ વિડીયો..

Uttar Pradesh Train Fire: યુપીના ઈટાવામાં 12 કલાકમાં બીજી મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે…

Uttar Pradesh Train Fire Fierce fire in Vaishali Express to Bihar, 19 passengers injured.. 2 trains on fire in 12 hours.

Uttar Pradesh Train Fire Fierce fire in Vaishali Express to Bihar, 19 passengers injured.. 2 trains on fire in 12 hours.

News Continuous Bureau | Mumbai

Uttar Pradesh Train Fire: યુપી ( UP ) ના ઈટાવા ( Etawah ) માં 12 કલાકમાં બીજી મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં બિહાર જતી વૈશાલી એક્સપ્રેસ ( Vaishali Express ) માં ભીષણ આગ ( Train Fire ) લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી. કેસની તપાસ ચાલી રહી છે.

Join Our WhatsApp Community

દિલ્હી ( Delhi ) થી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસ નંબર 12554માં આગ લાગી હતી. આ ઘટના પેન્ટ્રી કાર પાસે એસ 6 કોચ ( S6 Coach ) ની બોગીમાં બની હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. ઈટાવામાં 12 કલાકમાં આ બીજી ઘટના બની છે. આ ઘટના પાછળનું કારણ શું હતું તે હાલ જાણી શકાયું નથી. રેલવે અધિકારીઓ આ મામલે તપાસમાં વ્યસ્ત છે.

મળતી માહિતી મુજબ, આગની ઘટના બાદ અસરગ્રસ્ત 11 મુસાફરોને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. આઠ મુસાફરોને હેડક્વાર્ટર ખાતે ડો. ભીમરાવ આંબેડકર સરકારી સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 આ પહેલા દરભંગા જતી ટ્રેનની ત્રણ બોગી બળીને રાખ થઈ ગઈ હતી…

ટ્રેનના S6 કોચમાં આગ કેવી રીતે લાગી, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ઇટાવા રેલવે સ્ટેશનના ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારના મૈનપુરી આઉટર ગેટ પર પહોંચી હતી. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા દરભંગા જતી ટ્રેનની ત્રણ બોગી બળીને રાખ થઈ ગઈ હતી.

બુધવારે સાંજે દિલ્હીથી દરભંગા જતી ટ્રેનના ત્રણ બોગીમાં આગ લાગી હતી. જેમાં એક સ્લીપર કોચ અને બે જનરલ બોગી સામેલ છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. આગને કાબૂમાં લીધા બાદ, ત્રણ બળી ગયેલી બોગીને ટ્રેનમાંથી અલગ કરવામાં આવી હતી, ત્યારબાદ મુસાફરોને અન્ય કોચમાં બેસાડીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Virat kohli and Anushka sharma: મેચ દરમિયાન વિરાટ કોહલી નો અનુષ્કા શર્મા પ્રત્યે નો પત્ની પ્રેમ મળ્યો જોવા, ક્યૂટ મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ, જુઓ વિડીયો

દરભંગા જતી ટ્રેન મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. જ્યારે ત્રણ કોચમાં આગ લાગવાના સમાચાર ફેલાતા લોકોમાં નાસભાગ થવા લાગી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા. કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ટ્રેન ગાર્ડ બબલુ સિંહે જણાવ્યું હતું કે આ ત્રણ કોચમાં લગભગ 500 મુસાફરો હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગ ગંભીર હતી. જેમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

શોટ સર્કિટ ( shot circuit ) થતા લાગી આગ…

દરભંગા જતી ટ્રેનની ઘટના અંગે રેલવે કર્મચારીઓએ કહ્યું હતું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, એક મુસાફરે કહ્યું હતું કે ઘણા લોકો ટ્રેનમાં બેઠા હતા, જ્યારે ઘણા લોકો આવતા-જતા હતા. ચાર્જિંગ પોઈન્ટમાં કોઈએ ચાર્જર લગાવ્યું હતું. ત્યાંથી શોર્ટ સર્કિટ પ્રકારનું કંઈક થયું. થોડો સ્પાર્ક થયો, જે પછી અરાજકતા ફેલાઈ ગઈ હતી.

પેસેન્જરે વધુમાં જણાવ્યું હતું કે, “બોર્ડમાં આગ લાગી હતી. બધાં અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ટ્રેન પૂરપાટ ઝડપે ચાલી રહી હતી. આગ લાગતા જ ચેઈન ખેંચીને ટ્રેન તરત જ અટકાવી દેવામાં આવી હતી. આ આગમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને પોલીસ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી. લગભગ અડધા કલાક પછી વહીવટીતંત્ર પહોંચ્યું હતું.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version