ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ભારતમાં કિશોરોના રસીકરણની કામગિરી પૂરજોશમાં ચાલી રહ્યું છે.
15-18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ કાર્યક્રમે એક મોટી સિદ્ધી હાંસલ કર્યું છે.
અહેવાલો અનુસાર, 30 મિલિયનથી વધુ કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, 15-18 વર્ષની વયના 3 કરોડથી વધુ યુવાનોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 3 જાન્યુઆરીથી કિશોરોનું રસીકરણ શરૂ થયું હતું.
