News Continuous Bureau | Mumbai
Vaishno Devi New Rules 2026 માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જઈ રહેલા લાખો ભક્તો માટે શ્રાઈન બોર્ડે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. નવા વર્ષ ૨૦૨૬ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે હવે મુસાફરીનો સમય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમોનો હેતુ યાત્રાને સુરક્ષિત અને સરળ બનાવવાનો છે. જો તમે નિયત સમય મર્યાદાનું પાલન નહીં કરો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.શ્રાઈન બોર્ડના CEO દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, હવે યાત્રામાં RFID (Radio Frequency Identification) કાર્ડની ભૂમિકા સૌથી મહત્વની રહેશે.
સમય મર્યાદાના નવા નિયમો
ચઢાણ માટેનો સમય: શ્રદ્ધાળુએ કટરાથી RFID કાર્ડ મેળવ્યા બાદ ૧૦ કલાકની અંદર પહાડ પર ચઢાણ પૂરું કરીને ભવન સુધી પહોંચવું પડશે.
વાપસી માટેનો સમય: યાત્રા શરૂ કર્યાના ૨૪ કલાકની અંદર શ્રદ્ધાળુએ પરત કટરા બેઝ કેમ્પ પહોંચવું ફરજિયાત છે. ભીડને એક જગ્યાએ એકઠી થતી રોકવા માટે આ ‘ટાઈમ સ્લોટ’ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
RFID કાર્ડની સુવિધા હવે ૨૪ કલાક
યાત્રીઓની સુવિધા માટે RFID કાર્ડ વિતરણમાં પણ ફેરફાર કરાયા છે:
કટરા રેલ્વે સ્ટેશન પાસેના નોંધણી કેન્દ્રો હવે રાત્રે ૧૨ વાગ્યા સુધી કાર્ડ આપશે (પહેલા ૧૦ વાગ્યા સુધી જ સમય હતો).
જે યાત્રીઓ ટ્રેન દ્વારા મોડી રાત્રે પહોંચે છે, તેઓ ‘દર્શન ડિયોઢી’ (એન્ટ્રી ગેટ) પરથી ૨૪ કલાક કોઈપણ સમયે RFID કાર્ડ મેળવી શકશે. નોંધનીય છે કે માન્ય RFID કાર્ડ વગર કોઈ પણ શ્રદ્ધાળુને આગળ વધવા દેવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો : H-1B Visa: અમેરિકા જવાના સપના જોનારાઓ માટે નવા નિયમો: H-1B વિઝામાં લોટરી સિસ્ટમ ખતમ, જાણો કોને થશે ફાયદો અને કોને નુકસાન.
મલ્ટી-ટીયર સુરક્ષા અને સર્વેલન્સ
નવા વર્ષ પર સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવામાં આવી છે. પોલીસ, CRPF અને શ્રાઈન બોર્ડના સુરક્ષાકર્મીઓ આખા ટ્રેક પર તૈનાત રહેશે. આ ઉપરાંત, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRTs) અને એડવાન્સ સર્વેલન્સ ટૂલ્સ દ્વારા રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. કટરાથી ભવન સુધીના ૧૩ કિમીના રૂટ પર પદયાત્રીઓ, ઘોડા, બેટરી કાર અને હેલિકોપ્ટર સેવા પર પણ કડક નજર રાખવામાં આવશે.
Join Our WhatsApp Community