News Continuous Bureau | Mumbai
Vande Bharat Express : રામ મંદિર ( Ram Mandir ) ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ( Ayodhya ) માં રેલવે સ્ટેશન ( Railway station ) ‘અયોધ્યા ધામ’નું ઉદ્ઘાટન કર્યું. સાથે તેમણે 8 નવી ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી, જેમાં 2 અમૃત ભારત અને 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. અમૃત ભારત એક્સપ્રેસ એ દેશની સુપર ફાસ્ટ પેસેન્જર ટ્રેનોની નવી શ્રેણી છે. આ નોન એસી બોગી સાથેની ‘LHB પુશ-પુલ’ ટ્રેન છે. તેમાં રેલ્વે મુસાફરો માટે સુંદર અને આકર્ષક ડિઝાઈનવાળી સીટો, સારી લગેજ રેક, મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ, એલઈડી લાઈટો, સીસીટીવી, પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ છે.
આજથી જનતા અમૃત ભારત ટ્રેનમાં મુસાફરી કરી શકશે
પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ બે નવી અમૃત ભારત ટ્રેનોમાંથી એક બિહારના દરભંગાથી શરૂ થશે અને અયોધ્યા થઈને રાજધાની દિલ્હીમાં આનંદ વિહાર ટર્મિનલ પહોંચશે. બીજી અમૃત ભારત એક્સપ્રેસ માલદા ટાઉન અને સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) વચ્ચે દોડશે. આ રીતે મુસાફરો આજથી અમૃત ભારત ટ્રેન ( Amrit Bharat Train ) માં મુસાફરીનો અનુભવ કરી શકશે. આ મુસાફરીને આરામદાયક બનાવશે અને સમયની પણ બચત કરશે. દરમિયાન વડાપ્રધાને આજે 6 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. આ 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નીચે મુજબ છે-
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો
- શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ
- અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ
- કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ
- મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ
- જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ
- અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ.
આ સમાચાર પણ વાંચો : Income Tax Returns 2023-24: વર્ષના અંત પહેલા પ્રથમ વખત આટલા કરોડથી વધુ લોકોએ કર્યું આવકવેરા રિટર્ન ફાઈલ .. જાણો વિગતે..
આધુનિક સુવિધાઓથી સજ્જ છે રેલ્વે સ્ટેશન
મહત્વનું છે કે પીએમ મોદી ( PM Modi ) આજે સવારે અયોધ્યાની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ અયોધ્યા એરપોર્ટથી રોડ શો કરીને અયોધ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમની સાથે અહીં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. માહિતી અનુસાર, પુનઃવિકાસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનો પ્રથમ તબક્કો 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાતું ત્રણ માળનું આધુનિક રેલ્વે સ્ટેશન લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજા જરૂરિયાતો માટેની દુકાનો, સલામતી રૂમ, બાળ સંભાળ રૂમ, વેઇટિંગ રૂમ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.