Vande Bharat: વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે,હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં લાગશે ફક્ત આટલા કલાક

Vande Bharat: કટરાથી શ્રીનગરની મુસાફરી હવે સરળ બનવાની છે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે

by Zalak Parikh
Vande Bharat now the journey from Katra to Srinagar will take only this many hours

News Continuous Bureau | Mumbai

Vande Bharat: USBRL પ્રોજેક્ટ પછી, ઘણા વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે. કટરાથી શ્રીનગરની મુસાફરી હવે ફક્ત 3 કલાકમાં થશે. હાલમાં રોડ માર્ગે મુસાફરી કરવામાં 6 થી 7 કલાક લાગે છે.  હાલમાં,કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાનું આયોજન છે. હાલમાં, ખીણમાં શ્રીનગરથી સાંગલદાન સુધી ટ્રેનો દોડે છે. હવે, સાંગલદાનથી કટરા સુધીની રેલ્વે લાઈન ખુલ્યા પછી, આ ટ્રેનો કટરા સુધી દોડી શકાશે.

આ સમાચાર પણ વાંચો: Waqf: વકફ બિલમાં સુધારા માટે સરકારનો પ્રસ્તાવ, પારદર્શિતા વધારવા માટે પગલાં. શા માટે બબાલ? જાણો બધુજ અહીં

USBRL પ્રોજેક્ટ

કાઝીગુંડ-બારામુલ્લા સેક્શન વર્ષ 2009 માં શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013 માં 18 કિમી બનિહાલ-કાઝીગુંડ સેક્શન, વર્ષ 2014 માં 25 કિમી ઉધમપુર-કટરા, વર્ષ 2023 માં બનિહાલ થી સાંગલદાન અને હવે સાંગલદાન થી કટરા વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે. વિશ્વનો સૌથી ઊંચો રેલ આર્ચ બ્રિજ – ચેનાબ બ્રિજ આ પ્રોજેક્ટનો એક ભાગ છે. હવે ટનલ, પુલ અને ખીણોને કારણે રેલ મુસાફરી વધુ આનંદપ્રદ બનશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More