Vande Bharat Train: ભારતની વંદે ભારત એક્સપ્રેસ હવે વિદેશી ટ્રેક પર દોડશે, રેલવે મંત્રીનો મોટો દાવો

Vande Bharat Train: કેન્દ્રમાં NDA સરકાર આવ્યા બાદ ભારતમાં નવા રેલવે ટ્રેકના નિર્માણને વેગ મળ્યો છે. તેથી આવનારા કેટલાક વર્ષોમાં ભારત અન્ય દેશોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની નિકાસ કરી શકશે.

by Bipin Mewada
Vande Bharat Train India's Vande Bharat Express will now run on foreign tracks, Railway Minister's big claim..

News Continuous Bureau | Mumbai 

Vande Bharat Train: ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મુસાફરોએ ઘણી પસંદ કરી છે. ફાસ્ટ સ્પીડ અને ઉત્કૃષ્ટ સુવિધાઓથી સજ્જ આ ટ્રેનના ચાહક માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં ( foreign ) પણ છે. તેથી સરકાર હવે આ સેમી હાઈ સ્પીડ ટ્રેનની નિકાસ કરવાની પણ યોજના ધરાવે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ઘણા દેશોએ વંદે ભારત એક્સપ્રેસ ખરીદવા વિશે પૂછપરછ કરી છે અને આવનારા થોડા વર્ષોમાં ભારત આ અદ્ભુત ટ્રેન (વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એક્સપોર્ટ) ની નિકાસ શરૂ કરશે. 

એક અહેવાલ અનુસાર, એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, “રેલવે મંત્રાલયે ( Railway Ministry ) જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમો ઉપરાંત તેની પોતાની વર્કશોપને સ્વદેશી ડિઝાઇન અને કાર્યક્ષમતા સાથે વંદે ભારત ટ્રેનના ઘટકો બનાવવા માટે સક્ષમ કરી છે. ” તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારા એન્જિનિયરોની મદદથી આપણા દેશમાં વંદે ભારત ટ્રેનનું નિર્માણ કરવું એક મોટો પડકાર હતો. અમે આ પડકારને પાર કર્યો છે. અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત અન્ય દેશોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ( Vande Bharat Express train )  નિકાસ કરી શકશે.

 અત્યારે ભારતમાં 82 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે…

હાલમાં ભારતમાં 82 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. રેલવે મંત્રીએ કહ્યું કે વંદે ભારત ટ્રેનોની સ્પીડ ( Train speed ) વધારવા માટે પણ કામ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેનને નવી દિલ્હી-મુંબઈ અને નવી દિલ્હી-હાવડા રૂટ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Bubonic plague: દાયકા પછી અમેરિકામાં પાછો ફર્યો આ રોગ, જેણે 14મી સદીમાં 50 મિલિયન લોકોનો લીધો હતો ભોગ.. જાણો શું છે આ રોગ અને તેના લક્ષણો.

એક નિવેદનમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં NDA સરકાર આવ્યા બાદ ભારતમાં નવા રેલવે ટ્રેકના નિર્માણને વેગ મળ્યો છે. 2004 થી 2014 સુધી દરરોજ સરેરાશ ચાર કિલોમીટરનો રેલ્વે ટ્રેક બનાવવામાં આવ્યો હતો. હવે દરરોજ 15 કિલોમીટરનો ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. તેમ જ છેલ્લા 10 વર્ષમાં 41 હજાર કિલોમીટર રેલ્વે નેટવર્કનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2004 થી 2014 સુધીમાં રેલ્વેમાં રોકાણ 15,674 હજાર કરોડ રૂપિયા હતું. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે આ મૂડીખર્ચ રૂ. 2,52,000 કરોડ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More