વિજય માલ્યા ગમે ત્યારે ભારત આવી શકે છે, કહ્યું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે. ક્યારે? ન કહ્યું.

by Dr. Mayur Parikh

'કિંગ ઓફ ગુડ ટાઇમ' એટલે કે કિંગફિશર શરાબ ના માલિક વિજય માલ્યા ગમે ત્યારે ભારત આવી શકે છે. જોકે તેઓ નક્કી કઈ તારીખે આવશે તે બાબતે કહી ન શકાય એવું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું છે. ગઈકાલે રાત્રે એવા સમાચાર વહેતા થયા હતા કે વિજય માલ્યા ટૂંક સમયમાં ભારત આવી પહોંચશે. આ બાબતે ખુલાસો કરતા સરકારી એજન્સીઓએ કહ્યું હતું કે અમારા જુના નિવેદનને ટાંકવામાં આવ્યું છે. હવે વિજય માલ્યા પાસે કોઈપણ કાનૂની દાવપેચ બચ્યા નથી. જેથી શક્ય છે કે એ પોતાની મરજીથી વહેલામાં વહેલા ભારત આવી જાય. ૧૪મી મેના રોજ તેણે સૌથી છેલ્લો કાનૂની કેસ ગુમાવી દીધો છે. જે મુજબ ચૌધરીને પછી 28 દિવસ બાદ તેમના પર કાર્યવાહી થઈ શકે છે. હવે તેની પાસે માત્ર દયાની અરજી કરવાનો વિકલ્પ બાકી રહે છે. પરંતુ તેમણે નક્કી કર્યું છે કે દયાની અરજી નહીં કરે. આથી આવનાર દસથી પંદર દિવસની અંદર કોઈ સમાચાર આવી શકે છે…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More