ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
અંગ્રેજીમાં એક કહેવત છે 'નથીંગ ઇઝ પરમેનન્ટ, ઓન્લી ઇન્ટરેસ્ટ પરમેન્ટ' કંઈક આવું જ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. અહીં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નવું નિવેદન આપ્યું છે. ભારતની કથળતી આર્થિક પરિસ્થિતિ સંદર્ભે તેમણે કહ્યું કે આજના સમયમાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પરંતુ મનમોહન સિંહ જેવા વ્યક્તિની જરૂર છે. જો મનમોહન સિંહ પાછા વડાપ્રધાન બને તો દેશની આર્થિક હાલત સુધરી જાય.
ઉલ્લેખનીય છે કે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે શિવસેનાએ તેમને ઘણી વખત ગાળો ભાંડી હતી.
