Site icon

માસ્ક પહેરો, બૂસ્ટર ડોઝ લો… કોરોનાના તણાવ વચ્ચે સરકારની સલાહ પર ધ્યાન જરૂર આપો

 ચીનમાં ઝડપથી વધી રહેલા કોવિડ માટે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7 જવાબદાર હોવાનું કહેવાય છે. તેના ત્રણ કેસ ભારતમાં પણ આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ઓક્ટોબરમાં ગુજરાતમાં આ પ્રકારનો એક કેસ નોંધાયો હતો

What to do if you have coronavirus or symptoms

માસ્ક પહેરો, બૂસ્ટર ડોઝ લો... કોરોનાના તણાવ વચ્ચે સરકારની સલાહ પર ધ્યાન જરૂર આપો

News Continuous Bureau | Mumbai

ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે બુધવારે કોવિડની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. લોકોને જાહેરમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવશે. એરપોર્ટ પર વિદેશી મુસાફરોનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવશે. જો પોઝિટિવ મળશે તો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. નિષ્ણાંતોએ કહ્યું છે કે લોકોએ બચવા માટે બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. અત્યાર સુધી કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી, પરંતુ નિવારક પગલાં પર કામ શરૂ થઈ ગયું છે. જે લોકોને પહેલાથી જ કોઈ રોગ છે અથવા વૃદ્ધ છે, તેઓએ ખાસ કરીને તેનું પાલન કરવું જોઈએ. આરોગ્ય મંત્રાલય દર અઠવાડિયે કોવિડ અંગે સમીક્ષા બેઠક યોજશે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ ટ્વીટ કર્યું, ‘કોવિડ હજી ખતમ નથી થયો. મેં તમામ સંબંધિતો લોકોને સતર્ક રહેવા અને તકેદારી વધારવા કહ્યું છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પોલે લોકોને રસી લેવાની સાથે ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. બસ, કોવિડથી બચવાના ઉપાયોનું ગંભીરતાથી પાલન કરવું પડશે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં કોવિડની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે અને 19 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં દરરોજ સરેરાશ 158 કેસ નોંધાઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Coronavirus : ચીનના કોરોના વેરિયન્ટનો પહેલો દર્દી ભારતમાં મળ્યો, વહીવટીતંત્ર સતર્ક.

દેશમાં BF.7 વેરિઅન્ટના ત્રણ કેસ

ચીનમાં ઝડપથી વધી રહેલા કોવિડ માટે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7 જવાબદાર હોવાનું કહેવાય છે. તેના ત્રણ કેસ ભારતમાં પણ આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ઓક્ટોબરમાં ગુજરાતમાં આ પ્રકારનો એક કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં બે કેસ ગુજરાતમાં અને એક ઓડિશામાંથી નોંધાયા છે. BF.7 ઓમિક્રોન એ BF.5 નો પેટા વેરિએન્ટ છે, અને ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. યુએસ, યુકે, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં આ વેરિએન્ટ પહેલાથી જ મળી ચુક્યો છે.

‘98% લોકોમાં નેચરલ એન્ટિબોડીઝ, ડરો નહીં’

એક નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, ભારતની 98% વસ્તીએ કોવિડ સામે કુદરતી એન્ટિબોડીઝ વિકસાવી છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. શક્ય છે કે કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને કોઈ નાની-મોટી લહેર આવી જાય. તે સિવાય બહુ ફરક નહીં પડે. બીજી તરફ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે મોટા પાયે રસીકરણને કારણે ભારતે ગભરાવાની જરૂર નથી. આપણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા રહેવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો: યૂક્રેન ક્યારેય આત્મસમર્પણ નહીં કરે… અમેરિકાથી ઝેલેન્સકીએ કરી મોટી જાહેરાત

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version