કેવું હશે ભારતમાં ક્રિપ્ટો કરન્સી નું ભવિષ્ય? સંસદમાં બિલ રજૂ થશે. આવી છે કાયદાકીય જોગવાઈઓ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત દેશમાં ક્રિપ્ટો કરન્સી ને માન્યતા આપી નથી. બીજી તરફ અનેક ભારતીઓ આ ક્ષેત્રમાં રોકાણ કરી ચૂક્યા છે અથવા રોકાણ કરવાની ઈચ્છા જણાવે છે. આ પરિસ્થિતિમાં આશરે પાંચ વર્ષની મહેનત પછી ભારત સરકાર cryptocurrency માટે સંસદમાં એક બીલ લાવવા જઈ રહી છે. આ બિલ પછી crypto માં રોકાણ કરવું ભારતીયો માટે આસાન બનશે.

એક આંકડા પ્રમાણે ભારત દેશમાં ૧૦ કરોડ જેટલા લોકો ક્રિપ્ટો માં રોકાણ કરવા માંગે છે. જો કે ભારત આ કરન્સી ને કરન્સી તરીકે માન્યતા નહિ આપે. જે બિલ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં એવી જોગવાઈઓ છે કે ક્રિપ્ટોમાં કરેલું રોકાણ એ રોકાણ તરીકે ગણાશે અને તેના પર જીએસટી તેમજ ઇન્કમટેક્સ પણ લાગશે. આ રોકાણને કોઈપણ ચલણ નો દરજ્જો નહીં મળે.

મધ્ય રેલવેને લીંબુ અને કેપ્સિકમથી ધનલાભ; આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આટલા કરોડની પાર્સલ આવક: જાણો વિગત

હવે જોવાનું એ રહે છે કે સંસદ આ બિલ સંદર્ભે કેવું વલણ દાખવે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More