સરકારી ગોડાઉનમાં ઘટ્યો ઘઉંનો સ્ટોક, 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો, જાણો કારણ

સરકારી ઘઉંનો સ્ટોક 19 મિલિયન ટન સુધી પહોંચી ગયો છે, જે ડિસેમ્બર 2016 પછીનું સૌથી નીચું સ્તર છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2016માં ઘઉંનો સ્ટોક 16.5 મિલિયન ટન હતો.

by kalpana Verat
Wheat Price: After Rice and Pulses, Flour Prices now rise, Wheat prices at six-month highs..

News Continuous Bureau | Mumbai

 ઘઉં (Wheat) નો સરકારી સ્ટોક (Stock)  સતત ઘટી રહ્યો છે અને હવે 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ઘઉંના ભાવ (Price) માં 25 ટકાનો વધારો થયો છે. સરકારી ઘઉંનો સ્ટોક 19 મિલિયન ટન સુધી પહોંચી ગયો છે, જે ડિસેમ્બર 2016 પછીનું સૌથી નીચું સ્તર છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2016માં ઘઉંનો સ્ટોક 16.5 મિલિયન ટન હતો.

ઘઉંનો સરકારી સ્ટોક સતત ઘટી (Down)રહ્યો છે અને હવે 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ઘઉંના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. સરકારી ઘઉંનો સ્ટોક 19 મિલિયન ટન સુધી પહોંચી ગયો છે, જે ડિસેમ્બર 2016 પછીનું સૌથી નીચું સ્તર છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2016માં ઘઉંનો સ્ટોક 16.5 મિલિયન ટન હતો. ઉલ્લેખનીય છે કે, 2014, 2015માં દુષ્કાળના કારણે ઘઉંનો સ્ટોક ઓછો થયો હતો. 1 ડિસેમ્બર 2021ના રોજ ઘઉંનો સ્ટોક 3.785 કરોડ ટન હતો. ઓછા સ્ટોકને કારણે ઘઉં અને લોટના ભાવમાં વધારો થયો હતો.

આ સમાચાર પણ વાંચો: ટાટા મોટર્સને મળ્યો મોટો ઓર્ડર, Everest Fleetને સપ્લાય કરશે XPRES-T EVના 5,000 યુનિટ

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 20-30 લાખ ટન ઘઉંનું વેચાણ કરી શકે છે. સરકાર OMSS દ્વારા ઘઉંનું વેચાણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાન્યુઆરીમાં વેચાણ અંગે નિર્ણય લઈ શકે છે. 9 ડિસેમ્બર સુધી 2021-22માં ઘઉંની વાવણી 203.91 લાખ હેક્ટરમાં થઈ છે જ્યારે 2022-23માં 255.76 લાખ હેક્ટરમાં થઈ છે.

ઘઉંનું વેચાણ

OMSS દ્વારા, સરકારે વર્ષ 2020-21માં 25 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે જ્યારે 2021-22માં સરકારે 70 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું હતું. અને વર્ષ 2022-23માં સરકાર OMSS દ્વારા 20-30 લાખ ટન ઘઉંનું વેચાણ કરી શકે છે.

1 ઓક્ટોબર સુધી સરકાર પાસે ઘઉં

સરકાર પાસે 1 ઓક્ટોબર, 2022ના રોજ 22.7 મિલિયન ટન ઘઉંનો સ્ટોક હતો, આ સમયગાળા સુધીમાં 20.5 મિલિયન ટનના બફર સ્ટોકની જરૂરિયાત સામે.

આ સમાચાર પણ વાંચો:  Coastal Road Project : આખરે પાંચ વર્ષ બાદ BMC અને માછીમારો વચ્ચેનો વિવાદ ઉકેલાયો, વરલીમાં દરિયામાં બે પિલર વચ્ચેના અંતરને લઈને લેવાયો આ નિર્ણય

ક્યાં અને કેટલા ઘઉંનું વાવેતર થયું?

મધ્યપ્રદેશમાં 6.40 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જ્યારે રાજસ્થાનમાં 5.67 લાખ હેક્ટર, પંજાબમાં 1.55 લાખ હેક્ટર, બિહારમાં 1.05 લાખ હેક્ટર, ગુજરાતમાં 0.78 લાખ હેક્ટર અને ઉત્તર પ્રદેશમાં 0.70 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More