Site icon

Women: જળ દિવાળી – “મહિલાઓ માટે પાણી, મહિલાઓ પાણી માટે અભિયાન” શરૂ.

Women: જળ પ્રશાસનમાં મહિલાઓને સામેલ કરવા માટે મંચ પ્રદાન કરવાનું લક્ષ્ય. મહિલા એસએચજી આ અભિયાન હેઠળ 550થી વધુ જળ શુદ્ધિકરણ પ્લાન્ટની મુલાકાત લેશે.

Women for Water, Water for Women for Women Campaign -launched

Women for Water, Water for Women for Women Campaign -launched

News Continuous Bureau | Mumbai

Women: આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય (એમઓએચયુએ) ( MOHUA ) મંત્રાલયના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) ( NULM ) સાથે ભાગીદારીમાં તેની મુખ્ય યોજના – અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન ( Atal Mission for Rejuvenation and Urban Transformation ) (અમૃત) હેઠળ પ્રગતિશીલ પહેલ “વુમન ફોર વોટર, વોટર ફોર વિમેન ફોર વિમેન કેમ્પેઇન ( Women for Water Water for Women for Women Campaign ) ” નું અનાવરણ કરવા માટે તૈયાર છે. ઓડિશા અર્બન એકેડેમી ( Odisha Urban Academy ) નોલેજ પાર્ટનર છે. આ અભિયાન “જલ દિવાળી”( Jal Diwali ) ની ઉજવણી કરે છે અને 7 નવેમ્બર, 2023થી શરૂ થાય છે જે. 9 નવેમ્બર, 2023 સુધી ચાલુ રહેશે.

Join Our WhatsApp Community

આ અભિયાનનો હેતુ જળ શાસનમાં મહિલાઓને શામેલ કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે. તેમને પોતપોતાનાં શહેરોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ડબલ્યુટીપી)ની મુલાકાત મારફતે જળ શુદ્ધિકરણની પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવશે. આ મુલાકાતો ઘરોમાં પીવાનું શુધ્ધ અને શુધ્ધ પાણી પહોંચાડવામાં સામેલ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓને સ્પષ્ટ કરશે. તદુપરાંત, મહિલાઓ પાણીની ગુણવત્તા પરીક્ષણ પ્રોટોકોલની સમજ મેળવશે, જે સુનિશ્ચિત કરશે કે નાગરિકોને જરૂરી ગુણવત્તાનું પાણી મળે. આ ઝુંબેશનો મુખ્ય ધ્યેય એ છે કે, જળ માળખાગત સુવિધા પ્રત્યે મહિલાઓમાં માલિકી અને સંબંધિતતાની ભાવના પેદા કરવી.

ભારતમાં 3,000થી વધારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે, જે 65,000 એમએલડીથી વધારે ડિઝાઇન કરેલા વોટર ટ્રીટમેન્ટ ક્ષમતા ધરાવે છે અને 55,000 એમએલડીથી વધારે કામગીરીની ક્ષમતા ધરાવે છે. આ અભિયાન દરમિયાન મહિલા સ્વસહાય જૂથો (એસએચજી) 550થી વધુ જળ શુદ્ધિકરણ પ્લાન્ટની મુલાકાત લેશે, જેની સંયુક્ત કાર્યકારી ક્ષમતા 20,000 એમએલડી (દેશના કુલના 35 ટકાથી વધુ) હશે.

ઘરગથ્થુ પાણીના વ્યવસ્થાપનમાં મહિલાઓ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. જળ શુદ્ધિકરણની પ્રક્રિયાઓ અને માળખાગત સુવિધાઓ વિશે જાણકારી ધરાવતી મહિલાઓને સશક્ત બનાવીને, એમઓએચયુએનો ઉદ્દેશ તેમના ઘરો માટે સલામત અને સ્વચ્છ પીવાના પાણીની સુલભતા સુનિશ્ચિત કરવાની તેમની ક્ષમતામાં વધારો કરવાનો છે. આ ઝુંબેશનો હેતુ પરંપરાગત રીતે પુરુષો દ્વારા વર્ચસ્વ ધરાવતા ક્ષેત્રોમાં સમાવિષ્ટતા અને વિવિધતાને પ્રોત્સાહન આપીને લિંગ સમાનતાના મુદ્દાઓને ધ્યાનમાં લેવાનો છે.

“વોટર ફોર વિમેન, વિમેન ફોર વોટર કેમ્પેઇન”, “જલ દિવાળી”ના પ્રથમ તબક્કામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (આદર્શ આચારસંહિતા હેઠળ 5 રાજ્યોને બાદ કરતાં) ભાગ લેશે, જેમાં દેશભરમાં 15,000થી વધારે એસએચજી મહિલાઓ સહભાગી થવાની અપેક્ષા છે. અભિયાનના મુખ્ય ક્ષેત્રોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

આ સમાચાર પણ વાંચો : Saras Mela 2023 : આર્થિક ઉત્થાન અને આત્મનિર્ભરતા માટે ગ્રામીણ મહિલાઓ માટે પ્રદર્શન-વેચાણ માટેનો ‘સરસ મેળો-૨૦૨૩.’

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અને જળ પરીક્ષણ સુવિધાઓથી મહિલાઓને પરિચિત કરાવવી

મહિલા એસએચજી દ્વારા સંભારણું અને લેખો દ્વારા સર્વસમાવેશકતા અને સામેલગીરીને પ્રોત્સાહન આપવું

અમૃત યોજના અને જળ માળખા પર તેની અસર વિશે મહિલાઓને પરિચિત અને શિક્ષિત કરવી

આ અભિયાનના અપેક્ષિત પરિણામોમાં જળ શુદ્ધિકરણ અંગે જાગૃતિ અને જ્ઞાનમાં વધારો, માલિકી અને જવાબદારીની ભાવના, સર્વસમાવેશકતાને પ્રોત્સાહન, એસએચજીનું સશક્તિકરણ, હકારાત્મક સામુદાયિક પ્રભાવ અને ભવિષ્યની પહેલો માટેના મોડેલનો સમાવેશ થાય છે.

અમૃત અને એનયુએલએમના રાજ્ય અને શહેરના અધિકારીઓ ડબલ્યુટીપીની ઓળખ કરીને આ મુલાકાતોને સરળ બનાવશે. એમઓએચયુએએ તમામ રાજ્ય અને શહેરના અધિકારીઓને આ પહેલમાં સક્રિયપણે ભાગ લેવા અને ટેકો આપવા હાકલ કરી છે, જે અમૃત હેઠળ જળ માળખાગત સુવિધાની મહત્વપૂર્ણ જગ્યામાં મહિલાઓને સમાવવાની દિશામાં નોંધપાત્ર પગલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version