Site icon News Continuous Bureau | Mumbai

World Environment Day : પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો

World Environment Day : પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંદૂરનો છોડ આપણા દેશની નારી શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક બની રહેશે.

World Environment Day PM Modi marks Environment Day; plants Sindoor at residence

World Environment Day PM Modi marks Environment Day; plants Sindoor at residence

News Continuous Bureau | Mumbai

World Environment Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો છે. આ છોડ તેમને ગુજરાતના કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી.

Join Our WhatsApp Channel

ગુજરાતની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંદૂરનો છોડ આપણા દેશની નારી શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક બની રહેશે.

એક X પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું;

 

“1971ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં ગુજરાતની મારી મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે, વિશ્વ પર્યાવરણ દિવસે મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને તે છોડ રોપવાનું સૌભાગ્ય મળ્યું છે. આ છોડ આપણા દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Exit mobile version