Site icon News Continuous Bureau | Mumbai

રેસલર સુશીલકુમાર પાસેથી છીનવાઈ શકે છે પદ્મશ્રી ઍવૉર્ડ; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

દિલ્હીના છત્રસાલ સ્ટૅડિયમ ખાતે થયેલી સાગર રાણાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુશીલકુમાર બે વાર દેશ માટે ઑલિમ્પિક મેડલ જીતી ચૂક્યો છે. એ બદલ તેને ૨૦૧૧માં રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી સન્માન મળ્યું હતું. હવે એ તેની પાસેથી છીનવાઈ જાય એવી શક્યતા છે.

એક પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ ઍવૉર્ડ રદ કરવાનો કોઈ સ્પષ્ટ નિયમ નથી. પદ્મશ્રીઍવૉર્ડ યોજના મુજબ રાષ્ટ્રપતિ કોઈપણ વ્યક્તિનો ઍવૉર્ડ રદ કરી શકે છે અને એ પછી તેનું નામ રજિસ્ટરમાંથી કાઢી શકાય છે. આ પછી તેણેઍવૉર્ડ પાછો આપવો પડશે. યોજના અનુસાર રાષ્ટ્રપતિ ઍવૉર્ડને ફરીથી આપવા, રદ કરવા અને રદ કરવાનો હુકમ પાછો ખેંચી લેવા સક્ષમ છે.

સાગર રાણા હત્યાકેસના મુખ્ય આરોપી સુશીલકુમારને થઈ શકે છે આ સજા; દિલ્હી હાઈ કોર્ટના વકીલે આપી આ માહિતી…

ઉલ્લેખનીય છે કે આ મામલે ગૃહ મંત્રાલય યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. ભૂતપૂર્વ ગૃહ સચિવ એન. ગોપાલસ્વામીના એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય સુશીલકુમારના ઍવૉર્ડ અંગેની સમીક્ષા અંગે ચર્ચા કરી શકે છે. રાષ્ટ્રપતિને ભલામણ કરતાં પહેલાં મંત્રાલયે કોર્ટના આદેશની રાહ જોવાનું પસંદ કર્યું છે. ચાર્જશીટ ફાઇલ થયા પછી રાષ્ટ્રપતિ ઍવૉર્ડ રદ કરી શકે છે અને જો સંબંધિત ખેલાડી બાદમાં નિર્દોષ છૂટી જાય તો ઍવૉર્ડ રદ કરવાનો હુકમ પણ પાછો ખેંચી શકાય છે.

Sonia Gandhi Vande Mataram શું સોનિયા ગાંધીએ કોંગ્રેસ ભવનમાં પૂરું ‘વંદે માતરમ્’ ગાવાની ના પાડી? જાણો સમગ્ર વિવાદની અંદરની વિગતો
PM Modi 80th Independence Day Speech ૮૦મા સ્વતંત્રતા પર્વે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન પેટ્રોલગેસ અને રેલવે વિકાસના ગણાવ્યા કામો, વિપક્ષ પર આકરા પ્રહારો
PM Modi Red Fort Students લાલ કિલ્લા પર ભીડ વચ્ચે ગયા પીએમ મોદી, વિદ્યાર્થીઓ સાથે હાથ મિલાવ્યો
Census of India 2026 ડિજિટલ જનગણનામાં તમારો સહયોગ જરૂરી પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે નાગરિકોને કરી ખાસ અપીલ
Exit mobile version