Site icon

IPL 2026:ક્રિકેટ જગતમાં ખળભળાટ! શ્રેયસ અય્યર વિરુદ્ધ BCCI ની મોટી કાર્યવાહી, સજાની જાહેરાતથી ફેન્સ ચોંક્યા.

IPL 2026:IPL 2026: ચેન્નાઈ સામેની જીત છતાં પંજાબના કેપ્ટન અય્યર પર ૨૪ લાખનો દંડ; હવે એક ભૂલ પડી શકે છે ભારે

BCCI Cracks Down on Shreyas Iyer: PBKS Captain Fined Rupees24 Lakh for Slow Over Rate; Face Potential One-Match Ban

BCCI Cracks Down on Shreyas Iyer: PBKS Captain Fined Rupees24 Lakh for Slow Over Rate; Face Potential One-Match Ban

News Continuous Bureau | Mumbai

IPL 2026: IPL 2026 ના રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સે (PBKS) ચેન્નાઈ સુપર કિંગ્સને (CSK) ૫ વિકેટે હરાવીને મેદાન માર્યું છે. જોકે, આ જીતની ખુશી વચ્ચે પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યર પર મુસીબતોના પહાડ તૂટી પડ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આઈપીએલની આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ અય્યરને મોટી સજા સંભળાવી છે.

Join Our WhatsApp Community

સ્લો ઓવર રેટ બદલ શ્રેયસ અય્યરને ૨૪ લાખનો દંડ

BCCI ની અખબારી યાદી મુજબ, ૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સની ટીમ નિયત સમય મર્યાદામાં પોતાની ૨૦ ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી. આ સીઝનમાં શ્રેયસ અય્યરનો સ્લો ઓવર રેટનો આ બીજો ગુનો છે, જેના કારણે તેને ૨૪ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે. માત્ર કેપ્ટન જ નહીં, પરંતુ પ્લેઈંગ ઈલેવનના અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયર પ્રિયાંશ આર્ય પર પણ ૬-૬ લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના ૨૫% દંડ લાદવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Pune Weather Update: પુણેમાં મેઘરાજાની એન્ટ્રી: આજે અને આવતીકાલે કેવું રહેશે વાતાવરણ? જાણો IMD ની લેટેસ્ટ આગાહી.

 પ્રતિબંધની તલવાર: હવે એક ભૂલ અને એક મેચ બહાર

નિયમો મુજબ, જો શ્રેયસ અય્યર આ સીઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટનો દોષી જણાશે, તો તેના પર ૩૦ લાખ રૂપિયાના દંડની સાથે એક આઈપીએલ મેચનો પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે અય્યરે હવે આગામી મેચોમાં અત્યંત સતર્ક રહેવું પડશે. જો ત્રીજી વાર ભૂલ થશે, તો અન્ય ખેલાડીઓને પણ ૧૨-૧૨ લાખ રૂપિયાનો મોટો દંડ ભરવો પડશે. મેચ દરમિયાન પણ ઓવર રેટમાં પાછળ રહેવાને કારણે પંજાબને છેલ્લી બે ઓવરમાં ૩૦ ગજના ડાયરાની અંદર વધારાનો ફિલ્ડર રાખવાની સજા ભોગવવી પડી હતી.

મેચ હાઈલાઈટ્સ: ૨૦૯ રનનો ટાર્ગેટ પંજાબે ૮ બોલ બાકી રહેતા મેળવ્યો

મેચની વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં ૨૦૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પંજાબ કિંગ્સે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા ૮ બોલ બાકી રહેતા જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જીત છતાં દંડની કાર્યવાહીએ પંજાબની છાવણીમાં ચિંતા વધારી દીધી છે. કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરે હવે મેદાન પર રણનીતિની સાથે સાથે સમય વ્યવસ્થાપન (Time Management) પર પણ ખાસ ધ્યાન આપવું પડશે.

DC vs MI Pitch Report:દિલ્હી અને મુંબઈ વચ્ચે આજે ‘કેપિટલ ક્લેશ’, પિચ રિપોર્ટ સાથે જાણો કેવું રહેશે હવામાન
IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા પર BCCIની ગાજ, અભદ્ર વર્તન બદલ મોટી સજા
Arjun Tendulkar:શું મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન સાથે અન્યાય કર્યો? લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થયા બાદ તેંડુલકરે તોડ્યું મૌન.
IPL 2026:IPL 2026:શ્રેયસ અય્યર સામે BCCIના આકરા પગલાં: જીતની ખુશીમાં લાગ્યો ₹12 લાખનો દંડ, જાણો કયા નિયમનું કર્યું ઉલ્લંઘન?
Exit mobile version