Site icon News Continuous Bureau | Mumbai

Danish Kaneria: પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન અંગે કર્યા ઘટસ્ફોટ,હિન્દુઓની હાલત સહિત ધર્મ પરિવર્તન મામલે કર્યા ચોંકાવનારા ખુલાસા..

Danish Kaneria: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પીસીબી પર આરોપ લગાવતા કહ્યું કે આ મિત્રતા પર બનેલી ટીમ છે.

Former spinner Danish Kaneria made revelations about Pakistan, made shocking revelations about the condition of Hindus, including conversion of religion.

Former spinner Danish Kaneria made revelations about Pakistan, made shocking revelations about the condition of Hindus, including conversion of religion.

News Continuous Bureau | Mumbai 

Danish Kaneria: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા (Danish Kaneria)પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પીસીબી પર આરોપ લગાવતા કહ્યું કે આ દોસ્તી-યારી પર બનેલી ટીમ છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મારી ટીમના કોઈ સભ્યએ મને સમર્થન આપ્યું નથી. ભારતમાં તેમની માટે ટીમ સૌપ્રથમ મહત્ત્વની હોય છે. આ સાથે તેણે ડ્રેસિંગ રૂમની અંદરના માહોલ વિશે પણ વાત કરી. દશિને કહ્યું કે તેને નમાઝને લઈને પણ ફોન આવતા હતા.

Join Our WhatsApp Community

તેણે ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, “ભારતમાં પણ ખેલાડીઓ પૂજા કરે છે, વિરાટ કોહલી-રોહિત શર્મા પણ પૂજા કરે છે. મોહમ્મદ શમી(Mohammad Shami) અને મોહમ્મદ સિરાજ(Mohammad Siraj) પણ નમાઝ અદા કરી શકે છે, પરંતુ તેઓએ ક્યારેય તેમના જેવો ડોળ કર્યો નથી અને તેમને ક્યારેય મેદાન પર નમાઝ અદા કરતા જોયા નથી.

આ સિવાય દાનિશ કનેરિયાએ જય શ્રી રામના નારા વિશે કહ્યું કે, “તેમના કોચ કહે છે કે દિલ-દિલ પાકિસ્તાનનું સ્લોગન નથી વગાડવામાં આવ્યું, જય શ્રી રામના નારા વગાડવામાં આવ્યા હતા. સૌપ્રથમ હું તેમને કહું છું કે જય શ્રી રામ સન્માન છે, તેઓ તમારુ સ્વાગત કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે.

હું સનાતની છું અને હિંદુ સમુદાય માટે મારો અવાજ ઉઠાવીશ….

તેમણે વધુમાં કહ્યું, “પાકિસ્તાનમાં જે થઈ રહ્યું છે તેનું કોઈ રિપોર્ટ પણ કરવામાં આવ્યું નથી, હું તેની સામે મારો અવાજ ઉઠાવીશ. હું સનાતની છું અને હિંદુ સમુદાય માટે મારો અવાજ ઉઠાવીશ. હું ઈચ્છું છું કે ભારતના દરેક વ્યક્તિ અને મીડિયા આ અવાજ ઉઠાવે. ” કનેરિયાએ PM નરેન્દ્ર મોદી અને BCCI ને પ્રતિબંધ હટાવવામાં મદદ કરવાની અપીલ કરી છે.

આ સાથે દાનિશે કહ્યું – “ભગવાનની કૃપાથી, મારી કારકિર્દી સારી રીતે ચાલી રહી હતી, ઇન્ઝમામ ઉલ-હક અને શોએબ અખ્તરે મને ઘણો સપોર્ટ કર્યો છે. જો કે, શાહિદ આફ્રિદીએ મને ખૂબ પરેશાન કર્યા છે. તે મારી સાથે ભોજન ન કરતા. એટલું જ નહીં, તેઓએ ધર્મ બદલવાની વાત પણ કરી. મારા માટે મારો ધર્મ જ સર્વસ્વ છે.”

દાનિશ કનેરિયાએ કહ્યું કે, જો મેં ધર્મ પરિવર્તન કર્યું હોત તો આજે આ સ્થિતિમાં ન હોત. હું પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો હોત. હું કટ્ટર સનાતની છું. હું સનાતન ધર્મને ખૂબ ચાહું છું. મારા માટે મારો ધર્મ જ સર્વસ્વ છે. મને કદાચ રોજગાર ન મળે, કદાચ મને કંઈ ન મળે, મારી પાસે ધર્મ હોય તો બધું જ છે. મને ઘણી વખત ધર્માંતરણ કરવાનું કહેવામાં આવ્યું. મેં કહ્યું જય શ્રી રામ.

વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની હાલત પર તેણે કહ્યું કે જો તે ટોપ 4માં પહોંચી જાય તો પણ તે મોટી વાત હશે, જીત તો દૂરની વાત છે. જે રીતે આપણો દેશ બીજાના પ્રદર્શન પર નિર્ભર છે તેવી જ રીતે આપણી ટીમની પણ હાલત છે.

KKR vs LSG: ઈડન ગાર્ડન્સમાં મેચ રમાશે કે વરસાદમાં ધોવાઈ જશે? જાણો કોલકાતાના હવામાનની લેટેસ્ટ અપડેટ
DC vs MI Pitch Report:દિલ્હી અને મુંબઈ વચ્ચે આજે ‘કેપિટલ ક્લેશ’, પિચ રિપોર્ટ સાથે જાણો કેવું રહેશે હવામાન
IPL 2026:ક્રિકેટ જગતમાં ખળભળાટ! શ્રેયસ અય્યર વિરુદ્ધ BCCI ની મોટી કાર્યવાહી, સજાની જાહેરાતથી ફેન્સ ચોંક્યા.
IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા પર BCCIની ગાજ, અભદ્ર વર્તન બદલ મોટી સજા
Exit mobile version