News Continuous Bureau | Mumbai
Hanuma Vihari: રણજી ટ્રોફી 2024 માં આંધ્ર પ્રદેશના અભિયાનના અંત પછી, એક વિવાદ સામે આવ્યો જેણે રાજ્યોના ક્રિકેટ સંગઠનોમાં રાજકીય હસ્તક્ષેપનો પર્દાફાશ કર્યો. એક ટીમના બે ખેલાડીઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન ( Andhra Pradesh Cricket Association ) જ મુશ્કેલીમાં મુકાઈ ગયું.
વાસ્તવમાં, આંધ્રની રણજી ટીમના ( Ranji Trophy 2024 ) કેપ્ટન હનુમા વિહાર, જે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ પણ રમી ચૂક્યો છે, તેણે એક ઈન્સ્ટા પોસ્ટમાં જણાવ્યું હતું કે, કેવી રીતે તેને તેની ટીમની કેપ્ટનશીપ છોડવાની ફરજ પડી હતી. તેણે લખ્યું પોસ્ટમાં લખ્યું હતું કે, તેને કેપ્ટનશિપ ગુમાવવી પડી કારણ કે તેણે અન્ય સાથી ખેલાડી પર જોરથી બૂમો પાડી હતી. જે ખેલાડી પર તેણે બૂમો પાડી તે આંધ્રપ્રદેશના ( Andhra Pradesh ) રાજકારણીનો પુત્ર ( politician son ) હતો. આ જ કારણ હતું કે નેતાએ આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન પર હનુમા વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કર્યું અને પછી હનુમાને અચાનક કેપ્ટનશિપ ( Captainship ) છોડવી પડી.
View this post on Instagram
હનુમા વિહારીએ આ સમગ્ર ઘટના બાદ જ આંધ્રપ્રદેશ તરફથી રમવાની ના પાડી દીધી હતી…
હનુમા વિહારીની આ પોસ્ટ પછી જ્યારે મામલો વધી ગયો. તો હનુમા વિહારીએ જેના પર બૂમો પાડી તે ખેલાડી પણ સામે આવ્યો હતો અને સોશ્યલ મિડીયા પોસ્ટ કરી હનુમા પર આરોપો લગાવ્યા હતા. પરુધવી રાજ ( Prudhvi Raj ) નામના આ ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિહારીને નિશાન બનાવ્યો હતો. પરુધીએ પોસ્ટમાં લખ્યું હતું કે, વિહારીએ તેના માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને શબ્દો એવા હતા કે તે સહન કરી શકાય નહીં. પરુધવીએ એમ પણ લખ્યું કે વિહારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માત્ર સહાનુભૂતિની રમત રમી રહ્યો છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો : Godrej : ન્યુ ઈનોવેશન.. ગોદરેજ અપ્લાયન્સિસે લોન્ચ કર્યાં વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રિજરેટર્સ..
દરમિયાન, હનુમા વિહારીએ પણ આનો જવાબ આપવામાં સમય બગાડ્યો નહીં. તેણે નવી પોસ્ટ કરી. વિહારીએ એક પત્ર પોસ્ટ કર્યો, જે આંધ્રપ્રદેશની રણજી ટીમના ખેલાડીઓ વતી લખવામાં આવ્યો હતો. આમાં ખેલાડીઓ હનુમા વિહારીનો પક્ષ લેતા જોવા મળે છે. ખેલાડીઓનું કહેવું છે કે સાથી ખેલાડીઓમાં અભદ્ર ભાષા વિશે વાત કરવામાં આવે છે. આ પત્રમાં તમામ ખેલાડીઓ હનુમા વિહારીને પોતાના કેપ્ટન તરીકે રાખવાની પણ અપીલ કરી રહ્યા છે. આ પત્રમાં 15 ખેલાડીઓની સહી પણ છે.
ઉલ્લેખનીય છે કે, હનુમા વિહારીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 33.56ની એવરેજથી 839 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. વિહારીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈ 2022માં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. વિહારીને ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં રમાયેલી શાનદાર ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે. તે મેચમાં હનુમા વિહારીએ અંગદની જેમ મેદાનમાં દટી રહીને મેચ બચાવી હતી. ત્યાર બાદ જ ભારતે ગાબા ટેસ્ટ જીતીને શ્રેણી જીતી લીધી હતી.
નોંધનીય છે કે, હનુમા વિહારીએ આ સમગ્ર ઘટના બાદ જ આંધ્રપ્રદેશ તરફથી રમવાની ના પાડી દીધી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિએશન કે BCCI આ મામલે આગળ આવે છે કે પછી વિહારી અન્ય રાજ્ય તરફથી રમતા જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)