World Cup 2023: સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, કહ્યું- સેમીફાઈનલમાં ભારત કોની સામે ટકરાશે?

 World Cup 2023: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી તેમની ઈચ્છા વ્યક્ત કરી છે કે, કોલકાતામાં રમાનારી સેમીફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાય. એક મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ કેપ્ટને એક ભવિષ્યવાણી સાથે ઈચ્છા વ્યક્ત કરી હતી.

by kalpana Verat
World Cup 2023: Sourav Ganguly's prediction, said- Who will India face in the semi-final?

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: પાકિસ્તાને (Pakistan) સતત 4 મેચ હાર્યા બાદ વાપસી કરી છે, તે પોઈન્ટ ટેબલમાં (Point Table) પાંચમાં સ્થાને છે અને હજુ પણ સેમિફાઈનલ (Semi Finale) ની રેસમાં છે. ચાહકો તો એ જ ઈચ્છી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય અને પાકિસ્તાન સેમિફાઈનલમાં સ્થાન બનાવી લે પરંતુ તેનો આ અંગે નિર્ણય થોડા દિવસ બાદ જ થશે કે કઈ ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને આશા છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ જ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટકરાવાની છે.

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) તેમની ઈચ્છા વ્યક્ત કરી છે કે, કોલકાતા (Kolkata) માં રમાનારી સેમીફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાય. એક મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ કેપ્ટને એક ભવિષ્યવાણી સાથે ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે. એવામાં પાકિસ્તાન અને ભારત વચ્ચે સેમીફાઈનલ મેચ રમાય તો તેનાથી મોટું કંઈ ના કહેવાય.

સૌરવ ગાંગુલીએ કહ્યુ કે મને આશા છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં સ્થાન બનાવી લેશે કેમ કે ભારત અને પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ હશે. ગાંગુલીએ આ સિવાય વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યુ, વિરાટ કોહલી મહાન ખેલાડીઓ પૈકીના એક છે. ઈડન ગાર્ડનમાં તેમના બેટથી 49મી સદી જોઈને ખૂબ સારુ લાગ્યુ. ખાસ કરીને જ્યારે તેઓ છેલ્લી ઘણી મેચોમાં આ રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai Pune ExpressWay: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે આજે 6 કલાક માટે રહેશે બંધ, મુસાફરી કરતા પહેલા, જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગ..

 નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ..

નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ ચાલી રહી છે. દરમિયાન માત્ર જીત નોંધાવીને તેમની સેમિફાઈનલની ટિકિટ પાક્કી થવાની નથી. અત્યારે પાકિસ્તાનના નેટ રન રેટ 0.036 છે જ્યારે ન્યૂઝીલેન્ડ 0.398 નેટ રન રેટના કારણે તેનાથી ખૂબ આગળ છે. હવે પાકિસ્તાનના સેમિફાઈનલમાં જવાની આશા લગભગ ખતમ જ છે. કેમ કે જો ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 1 રનથી પણ જીત નોંધાવી તો પાકિસ્તાનને 130 રનથી જીત મેળવવી પડશે. શ્રીલંકા સામે મેચમાં જો કીવી ટીમને હાર મળે છે તો પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી પડશે. જો બંને ટીમો જીતી જાય છે તો પછી નેટ રન રેટ અનુસાર સેમિફાઈનલનો નિર્ણય હશે.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ જો પોતાની મેચમાં હારી જાય છે અને અફઘાનિસ્તાન પોતાની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે જીતી જાય છે તો તે અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. તેનો નિર્ણય 11 નવેમ્બરે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચમાં જ થઈ જશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More