News Continuous Bureau | Mumbai
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટના ( Rajkot ) સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા ( Team India ) રાજકોટ પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની ( England ) ટીમ પણ ટૂંક સમયમાં દુબઈથી રાજકોટ પહોંચશે. ભારતીય ટીમ રાજકોટની સયાજી હોટલમાં રોકાશે, જ્યાં ટીમના ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ, ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ ( Test Match ) માટે 11 ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચી હતી. હવે રોહિત બ્રિગેડ 20 ફેબ્રુઆરીએ અહીંથી ટેક ઓફ કરશે. ટીમ ઈન્ડિયા માટે રાજકોટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભારતીય ખેલાડીઓ સયાજી હોટલમાં રોકાયા છે. રાજકોટમાં ભારતીય ખેલાડીઓનું જોરદાર આગતા- સ્વાગતા કરવામાં આવી રહ્યું છે. તેમ જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અહીં ગુજરાતી અને સૌરાષ્ટ્રના ( Saurashtra ) ખાસ કાઠિયાવાડી ફૂડની ( Kathiyawadi food ) મજા માણી રહ્યા છે.
સયાજી હોટલમાં ભારતીય ખેલાડીઓ માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સયાજી હોટલમાં ભારતીય ખેલાડીઓ માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્મા ( Rohit Sharma ) અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ( KL Rahul ) માટે હેરિટેજ થીમ પર એક ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હોટેલ ડિરેક્ટરે આપેલા એક મિડીયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ભારતીય ખેલાડીઓનું અહીં ખાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે, ભારતીય ખેલાડીઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા છે.
આ સમાચાર પણ વાંચો : RBI Paytm Bank: Paytm પેમેન્ટ્સ બેંક માટે રાહતની આશા સમાપ્ત! RBI ગર્વનરે આપ્યું મોટું નિવેદન..
ઈન્ટરવ્યુમાં હોટલ ડાયરેક્ટરે એમ પણ કહ્યું હતું કે ખેલાડીઓના ભોજનને લઈને BCCI તરફથી સૂચનાઓ આવી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે આ જ રીતે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ખેલાડીઓને નાસ્તામાં જલેબી અને ફાફડા આપવામાં આવશે. લંચમાં ખાસ થાળી હશે, જેમાં ગુજરાતી વાનગીઓ હશે. આ ઉપરાંત ડિનરમાં ભારતીય ખેલાડીઓને ખાખરા, ગઢિયા, થેપલા અને દહીં તીખારી જેવી વાનગીઓ પીરસવામાં આવશે. રાત્રિભોજનમાં ખીચડી કઢી અને રોટલો પણ સામેલ છે.