IND vs ENG Test: ભારતીય ટીમની વધી મુશ્કેલીઓ, આર અશ્વિન અચાનક અચાનક જ થયો બહાર; BCCI એ કારણ જાહેર કર્યું.

IND vs ENG Test: ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ અંગે માહિતી આપતાં બીસીસીઆઈએ કહ્યું કે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટના બીજા દિવસે એક વિકેટ લેનાર રવિચંદ્રન મેચના બાકીના ત્રણ દિવસ ઉપલબ્ધ રહેશે નહીં. તેનો અર્થ સ્પષ્ટ છે કે અશ્વિન હવે ચોથી અને પાંચમી ટેસ્ટમાંથી પણ બિનસત્તાવાર રીતે બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે ઓફ સ્પિનરે તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. અને આ પડકારજનક સમયમાં બોર્ડ સંપૂર્ણપણે તેની સાથે છે.

by kalpana Verat
IND vs ENG Test R Ashwin withdraws from third Test due to family medical emergency

News Continuous Bureau | Mumbai

IND vs ENG Test: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ ( Indian Team ) ને એક પછી એક મોટો ઝટકો લાગી રહ્યા છે. ભારતીય સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ( R Ashwin ) રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ અધવચ્ચે જ છોડીને અચાનક ઘરે પરત ફર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક ઈમરજન્સીના કારણે અશ્વિનને તરત જ ઘરે પરત ફરવું પડ્યું છે. હવે તે રાજકોટ ટેસ્ટ  ( Rajkot Test ) ના બાકીના ત્રણ દિવસ રમી શકશે નહીં.  

આર અશ્વિન ના અચાનક ખસી જવાને ભારતીય ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે અશ્વિનના જવાથી રોહિત બ્રિગેડની તાકાત અડધી થઈ ગઈ છે. અશ્વિનની વિદાય સાથે ભારતીય ટીમ પાસે હવે માત્ર ચાર બોલર બચ્યા છે. આવી સ્થિતિમાં હવે ફાસ્ટ બોલરો પર મોટી જવાબદારી આવી ગઈ છે. જાડેજા અને કુલદીપ પર પણ  ભાર વધી ગયો છે.

શું ભારતીય ટીમને અશ્વિનનું સ્થાન મળી શકે છે?

ક્રિકેટમાં ભાગ્યે જ એવું જોવા મળ્યું છે કે કોઈ ખેલાડી મેચની વચ્ચે આઉટ થયો હોય. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કોઈ ખેલાડી ઈજાને કારણે મેચની વચ્ચે જ બહાર થઈ જાય છે. જોકે, આવી સ્થિતિમાં ટીમ રિપ્લેસમેન્ટની માંગ કરી શકે છે. જોકે, વિરોધી ટીમનો કેપ્ટન પરવાનગી આપશે ત્યારે જ રિપ્લેસમેન્ટ મળશે. MCC ના નિયમ 1.2.2 મુજબ, પ્લેઇંગ ઇલેવન આપ્યા પછી, વિરોધી ટીમના કેપ્ટન ની સંમતિ વિના કોઇપણ ખેલાડીને રિપ્લેસ કરી શકાશે નહીં. જો કે, નિયમ નંબર 1.2.1 અનુસાર, ટીમના કેપ્ટને ટોસ પહેલા તેના 12મા ખેલાડીનું નામ લેવું પડે છે, જે ટીમ ઈન્ડિયાએ આ મેચમાં કર્યું નથી. આવી સ્થિતિમાં રોહિત શર્મા ઈચ્છે તો પણ અશ્વિનનું સ્થાન મેળવી શકશે નહીં. હવે અશ્વિનની જગ્યાએ કોઈ ખેલાડી માત્ર ફિલ્ડિંગ કરી શકશે. તેને બોલિંગ કે બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ કારણે ઓફ સ્પિનર ટેસ્ટમાંથી થયો બહાર 

ભારતીય ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે ઓફ સ્પિનરે તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. અને આ પડકારજનક સમયમાં બોર્ડ સંપૂર્ણપણે તેની સાથે છે.  

આ સમાચાર પણ વાંચો : Alexei Navalny : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વધુ એક વિરોધી નેતાનું થયું મોત,2020માં ઝેરના હુમલાથી માંડ માંડ બચ્યા હતા

મહત્વનું છે કે અશ્વિને શુક્રવારે ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ કારકિર્દીની 500 વિકેટ પૂરી કરી. તેણે જેક ક્રોલીની વિકેટ લીધી હતી. આ સાથે તે અનિલ કુંબલે બાદ સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો છે.

માતાની ખરાબ તબિયતના કારણે રાજકોટ ટેસ્ટ મેચ છોડવી પડી હતી

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને જણાવ્યું કે અશ્વિનની માતાની તબિયત સારી નથી. ઈમરજન્સીની સ્થિતિમાં તેને ચેન્નાઈ જવું પડશે, તેથી અશ્વિન રાજકોટ ટેસ્ટ મેચ અધવચ્ચે જ છોડી રહ્યો છે. સાથે જ તેમણે અશ્વિનની માતાના ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

અશ્વિન સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 500 વિકેટ લેનારો બોલર બન્યો 

અશ્વિન સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 500 વિકેટ લેનારો બીજો બોલર બન્યો છે. આ મામલે તેણે અનિલ કુંબલે, ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન અને ગ્લેન મેકગ્રાને પાછળ છોડી દીધા છે. અશ્વિને 98મી ટેસ્ટમાં તેની 500મી વિકેટ લીધી હતી. કુંબલેએ 105, વોર્ને 108 અને મેકગ્રાએ 110 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. મુરલીધરન આ મામલે ટોચ પર છે. તેણે 87 ટેસ્ટ મેચમાં 500 વિકેટ લીધી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More